સુરેન્દ્રનગરના લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય રઉક્ભાઈ અહેમદભાઈ કાઝી ઘણાં વર્ષોથી એકલવાયું જીવન ગુજારતા હતા. રઉફભાઈ કાઝીએ લીંબડી હાઈવે પર રેલવે ઓવરબ્રિજ નજીક સવારે 5:30 કલાકે પસાર થતી સુરત-મહુવા ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ટ્રેનની અડફેટે આવી જતાં રઉફક્ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બનાવની જાણ થતાં નવઘણભાઈ દોમડા સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે રઉફભાઈના પરિવારજનોને જાણ કરી તેમને લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.