Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: લગ્નમંડપ નજીક જ આખલાએ મચાવ્યો આતંક, 15 જાનૈયા ઇજાગ્રસ્ત

X

સુરેન્દ્રનગરના લખતરનો બનાવ

લગ્નપ્રસંગ દરમ્યાન આખલાનો આતંક

બે આખલા યુદ્ધે ચઢતા અફરાતરફી

15 જાનૈયાઓ થયા ઇજાગ્રસ્ત

સારવાર અર્થે ખસેડાયા

સુરેન્દ્રનગરના લખતરના મફતિયાપરા વિસ્તારમાં જાન પરણવા આવી એ સમયે આખલા યુદ્ધ સર્જાતા 15 લોકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર તેમજ તાલુકાના ગ્રામ્યમાં રખડતા ઢોર અને આખલાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે વિરમગામ તાલુકાના કાજીપુરા ગામથી લખતરના મફતીયાપરા વિસ્તારમાં પરણવા આવેલી જાન લગ્નમંડપ તરફ પરણવા જઈ રહી હતી, ત્યારે બે રખડતા આખલા બાખડ્યા હતા અને જાનના જાનયોને અડફેટે લીધા હતા.

આ આખલા યુધ્ધ સર્જાતા જાનૈયાઓમા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમા 15થી વધારે લોકોને ઈજા પહોંચી હતી.જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા તંત્ર ચોક્કસ પગલા ભરે એવી માંગ ઉઠી રહી છે.

Next Story