Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો શુભારંભ

કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

X

સુજલામ સુફલામ જળ અભિયાન સાંપડ્યો જનપ્રતિસાદ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

કુકડા ગામે તળાવના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

35 હેક્ટરમાં ફેલાયેલ તળાવની સંગ્રહ શક્તિ 3 MCFT

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-2024નો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ગઈકાલે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

કુકડા ગામે અંદાજે 35 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવની સંગ્રહ શક્તિ 3 MCFT જેટલી છે. આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેન મંગુ ડાભી, નર્મદા, જળસંપતિ-પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ કે.એ.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ.કલ્યાણી, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એમ.ડી.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવ જે.કે.ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા, અધિક્ષક ઇજનેર જે.એન.ભાટુ, કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story