સુરેન્દ્રનગર : સ્વિમિંગ પુલમાં વિવિધ યોગ આસનો કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું ધ્રાંગધ્રાનું ક્લબ-7

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

આજે તા. 21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસત્યારે વિશ્વ અને દેશમાં યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં લોકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છેત્યારે કેટલાક કઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના 40 જેટલા સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં દરરોજ 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છેત્યારે સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ સ્વિમિંગ પુલના પાણીમાં વિવિધ યોગના આસનો કરીને યોગ દિવસની વિશેષ ઉજવણી કરી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.