સુરેન્દ્રનગર : 10મી વખત ઘુડખર ગણતરી સંદર્ભે વન વિભાગના કર્મચારીઓની તાલીમ શિબિર યોજાય...

કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે.

New Update
સુરેન્દ્રનગર : 10મી વખત ઘુડખર ગણતરી સંદર્ભે વન વિભાગના કર્મચારીઓની તાલીમ શિબિર યોજાય...

કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. જેમાં વન્ય પ્રાણી ઘુડખર જે શિડ્યુલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફકત આ અભ્યારણ્યમાં જોવા મળે છે. રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા દર 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે.

છેલ્લે ગત 2020માં ઘુડખરની ગણતરી કરવામાં આવી હતી. જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી. ત્યારબાદ આ વખતે 2024માં આ ગણતરી યોજાવાની છે. તે માટે બજાણા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી વનપાલ ફોરેસ્ટર તેમજ ગાર્ડને તાલીમ આપવામાં આવી હતી. જેમાં આગામી 21 અને 22 મેના રોજ યોજાનાર ઘુડખરની ગણતરી કેવી રીતે અને કઈ બાબતો વિશે ધ્યાન રાખવું તેમજ રણ વિસ્તારની અંદર આ પ્રાણીની ગણતરી કરતી વખતે લેવાતી કાળજી તેમજ આ કાળઝાળ ગરમીમાં રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે, ત્યારે તે બાબત પણ ધ્યાનમાં લેવ અંગે તાલીમ આપવામાં આવી હતી.

વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે, ત્યારે કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી. 800 જેટલા વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ 1700 જેટલા સ્વેચ્છિક સંસ્થાના લોકો અને અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 2500 લોકો આ કાર્યમાં જોડાશે, ત્યારે માર્ગદર્શન તાલીમ શિબિરમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપકુમાર દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, ગાર્ડ સહિતના કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories