સુરેન્દ્રનગર : ભવ્ય તિરંગા યાત્રા યોજી વીર શહીદ મહિપાલસિંહ વાળાને વીરાંજલી અર્પણ કરાય…

ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર : ભવ્ય તિરંગા યાત્રા યોજી વીર શહીદ મહિપાલસિંહ વાળાને વીરાંજલી અર્પણ કરાય…
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.

તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના ફૂલગાવમાં આંતકીઓ સાથે થયેલી મુઠભેડમાં શહીદ થતાં ભારત દેશના વીર મહિપાલસિંહ વાળાને વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એચ.એમ.હાઈસ્કુલથી ગામના રસ્તાઓ પર ભવ્ય તિરંગા યાત્રા યોજી વીર શહીદને વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ જડેશ્વર મહાદેવથી ધંધુકા તરફના માર્ગનું વીર શહીદ મહિપાલસિંહ વાળા નામકરણ કરવામાં આવ્યું હતું. આજે તારીખ ૧૫ ઓગસ્ટના રોજ વીર શહીદ મહિપાલસિંહ વાળાનો જન્મદિવસ પણ છે, ત્યારે શહીદ વીરને “વંદે-માતરમ્, ભારત માતા કી જય, વીર શહીદ મહિપાલસિંહ વાળા અમર રહો”ના નારા સાથે મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો સહિત ગ્રામજનો યાત્રામાં જોડાયા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surendranagar #brave martyr #Grand Triranga Yatra #Veeranjali #Mahipalsingh Vala
Here are a few more articles:
Read the Next Article