સુરેન્દ્રનગર : ચોટીલા નજીકથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ, ગણતરીના કલાકોમાં 5 ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એક વખત અપહરણનો બનાવ સામે આવ્યો છે

New Update
સુરેન્દ્રનગર : ચોટીલા નજીકથી લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ, ગણતરીના કલાકોમાં 5 ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ફરી એક વખત અપહરણનો બનાવ સામે આવ્યો છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આજે સવારે 10 વાગ્યાના અરસામાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું છે જેને લઇને ચકચાર મચી જવા પામી છે. કોઈક અંગત કારણોસર અથવા પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં ચોટીલા ખાતે આવેલા બસ સ્ટેન્ડ નજીકથી કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી લેવામાં આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા ખાનગી બસમાં મુસાફરી કરવા માટે જઇ રહેલા લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી અને અપહરણ કારો નાસી છૂટયા હતા.

કોન્ટ્રાકટર બસમાં બેસવા માટે રાહ જોઇ રહ્યા હતા તે સમયે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધી અને આ બાબતની વિગત આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ હાલમાં ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ મામલે મોરબી પોલીસ અને સ્થાનિક પોલીસે અપહરણકારોને રાજકોટ હાઇવે ઉપરથી ઝડપી પાડી અપહરણના ભોગ બનેલા કરણભાઈને હેમખેમ મુક્ત કરાવ્યા છે. એક વર્ષ પહેલાં લેબર કોન્ટ્રાક્ટર દ્વારા 35 મજૂરોને લઈને ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેમાં ફેક્ટરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ફેકટરીનાં માલીકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી જેને લઇને નુકશાન જતા આ કોન્ટ્રાક્ટરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.