સુરેન્દ્રનગર: લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ,અસમાજિક તત્વોમાં ફફડાટ

લીંબડીના Dysp સી.પી. મુંધવા સહિત સાયલા, ચોટીલા પોલીસ મથકનો કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો

New Update
સુરેન્દ્રનગર: લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયુ,અસમાજિક તત્વોમાં ફફડાટ

સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં અસમાજિક તત્વો પર તવાઈ બોલાવવામાં આવી હતી સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.શહેરના ગ્રીનચોક, શક્તિ સોસાયટી સહીતના વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ દ્વારા ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં આવેલ શંકાસ્પદ તેમજ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરોમાંથી લાકડી, પાઇપ જેવા હથિયાર પણ કબજે કરવામાં આવ્યા હતા અને ગુનાઇત પ્રવ્રુતિમાં સંડોવાયેલા શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.લીંબડીના Dysp સી.પી. મુંધવા સહિત સાયલા, ચોટીલા પોલીસ મથકનો કાફલો કોમ્બિંગમાં જોડાયો હતો

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories