સુરેન્દ્રનગર: દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ, જુઓ શું છે સમગ્ર મામલો

થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે.

New Update
સુરેન્દ્રનગર: દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ, જુઓ શું છે સમગ્ર મામલો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે. બાળકીનું મૃત્યુ થતાં દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

Advertisment

સુરેન્દ્રનગરના થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. દફન કરેલી મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલ ખાતે લાવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. જેને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હ્રદયમાં કાણુ હોય તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારે બાળકીનું મૃત્યુ થતાં દફનવિધી કરવામાં આવી હતી જે બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. તેમજ પરિવારજનોએ બાળકી સાથે દૂષ્કર્મ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને પોલીસ બેડામાં પણ હડકંપ મચ્યો છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો, 33 અરજીઓનો કરાયો નિકાલ

નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

New Update
1

જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના  અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના ૩૩ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ તમામ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા, સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Advertisment