Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ખેતરના રસ્તે ચાલવા જેવી નાની બાબતે ત્રણ લોકોની હત્યાથી ચકચાર,જુઓ શું છે મામલો

X

સુરેન્દ્રનગર જિલ્લાનો ચકચારી બનાવ

ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના

પિતા અને પતિ-પત્નીની હત્યા

ખેતરમાં રસ્તે ચાલવા બાબતે ખેલાયો ખૂની ખેલ

સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ખેતરના રસ્તે ચાલવા મુદ્દે આ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે

સુરેન્દ્રનગરની હચમચાવી નાખતી હત્યાની આ ઘટના અંગે મળતી વિગત મુજબ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફુલગ્રામમાં રહેતા હમીર મેમકીયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ સાથે રસ્તે ચાલવા બાબતે માથાકુટ ચાલતી હતી.આ નજીવી બાબતે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને બાદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો મળી છે. જેમાં હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધુની હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જીલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો છે. જ્યારે ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.

Next Story