સુરેન્દ્રનગર : વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો એક દિવસ લંબાવાયો, વરસાદના કારણે 2 દિવસ બંધ જેવી પરિસ્થિતી....

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ચાર દિવસીય તરણેતરના મેળાનો એક દિવસ વરસાદના કારણે વધારવામાં આવ્યો હતો.

New Update
સુરેન્દ્રનગર : વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો એક દિવસ લંબાવાયો, વરસાદના કારણે 2 દિવસ બંધ જેવી પરિસ્થિતી....

સુરેન્દ્રનગરમાં યોજાયેલા ચાર દિવસીય તરણેતરના મેળાનો એક દિવસ વરસાદના કારણે વધારવામાં આવ્યો હતો. મેળામાં સ્ટ્રોલ નાખનાર વેપારીઓને નુકસાન ન થાય તે માટે કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભાદરવા સુદ ત્રીજ થી પાંચમ સુધી યોજાતો હોય છે. આ વખતે પણ આ રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યમાં ભારે વરસાદની આગાહી ના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડયો હતો ત્યારે તરણેતરના મેળામાં પણ વરસાદ પડતા આ મેળો બંધ જેવી હાલતમાં હતો. ત્યારે મેળામાં સ્ટોલ રાખીને વેપાર કરનાર, ચગડોળ વાળા તેમજ રમકડાના વેપારીઓ તેમજ અન્ય વેપારીઓ જે મેળામાં સ્ટોલ રાખેલ હતા તે લોકોને નુકશાન થાય તેવી પરિસ્થિતિ હતી અને બધા વેપારીઓ દ્વારા તરણેતર ગ્રામપંચાયતને એક દિવસ મેળાને લંબાવાય તે માટે રજુઆત કરતા પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એક દિવસ મેળાને વધુ ચાલુ રાખવા માટેની મંજુરી માંગી હતી જેને ધ્યાને લઈને જિલ્લા કલેકટર દ્વારા આજે તારીખ 21 9 2023 ને રાતના દસ વાગ્યા સુધી મેળો ચાલુ રાખવા માટેની છૂટ આપી છે વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાતા સરપંચે તેમજ મેળામાં સ્ટોલ રાખનાર વેપારીઓએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.