Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં પરીક્ષામાં હિજાબ કઢાવવાનો મામલો, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યુ

અંકલેશ્વરમાં પરીક્ષામાં હિજાબ કઢાવવાનો મામલો, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યુ
X

બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષાએ ખંડમાં વિદ્યાર્થીની પાસે હિજાબ કઢાવવાના મામલામાં વિવાદ સર્જાયો છે. વાલીઓ આ પગલાંને ગેરવર્તણૂક ગણાવી રહ્યા છે તો શિક્ષણમંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરીક્ષામાં ગેરરીતિ રોકવા સહિતના પ્રયાસ દરમિયાન આ પગલું ભરાયું હોવાનું જણાવી શાળાનો બચાવ કર્યો હતો.

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે શાળાનો બચાવ કરતા કહ્યું હતું કે શાળામાં ગેરરીતિ ન થાય અને કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષાખંડમાં એન્ટ્રી ન લે તે માટે સ્થળ સંચાલકને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ મુદ્દો ઉઠાવવો વાજબી નથી. અને વિવાદ ઉભો કરવાની અહીં જરૂર રહેતી નથી.

Next Story