ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક, રાજ્યમાં કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા

સમાચાર ,ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની, આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા આંકડા, રાજ્યમાં કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા

Chandipura virus
New Update

ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં આ વાયરસના કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

·         પોઝિટિવ કેસ: 37 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે.

·         મૃત્યુ: કુલ 124 શંકાસ્પદ કેસમાંથી 44 દર્દીઓનું મૃત્યુ થયું છે. આ આંકડો ચિંતાજનક રીતે ઊંચો છે.

·         હાલની સ્થિતિ:

·         54 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.

·         26 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા તા.૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.

 

#ગુજરાત #ચાંદીપુરા વાયરસ
Here are a few more articles:
Read the Next Article