ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

New Update
ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળે છે.તાલાળાની કેસર કેરી દુબઈ,કેનેડા,મસ્તક જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ એક્સપોર્ટ થશે.તાલાળાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12 અને 6 નંગના પુઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે ત્યાંથી જેતે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબર માંગ જોવા મળી રહી છે.ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરીની માંગ થઈ રહી છે જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.