/connect-gujarat/media/post_banners/07c0c8fc70548751a249c461a3feb1df733b1d6deecd1db24179f5825dff9527.jpg)
ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશોમાં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળે છે.તાલાળાની કેસર કેરી દુબઈ,કેનેડા,મસ્તક જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ એક્સપોર્ટ થશે.તાલાળાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને 12 અને 6 નંગના પુઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે ત્યાંથી જેતે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબર માંગ જોવા મળી રહી છે.ગલ્ફના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરીની માંગ થઈ રહી છે જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે