સુરેન્દ્રનગર : લખતર-ધાંગધ્રાના 6 ગામોમાં ઘુડખરનો ત્રાસ વધ્યો, પાકમાં નુકશાન થતાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન...

ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો વહીવટી તંત્ર અને વન વિભાગને રજૂઆત કરી રહ્યા છે.

New Update
  • લખતર અને ધાંગધ્રાના 6 ગામોમાં વધ્યો ઘુડખરનો ત્રાસ

  • પાકમાં નુકશાન થતાં ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • ઘુડખર ભગાવોખેતી બચાવોના નારા સાથે ઉગ્ર વિરોધ

  • ખેતરમાં ઘુડખરો ખેડૂતોના ઉભા પાકો ચરી જતાં નુકશાન

  • તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતોની માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરો ખેડૂતોના ઉભા પાકને મોટું નુકશાન પહોચાડી રહ્યા છેત્યારે આ મામલે ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી વહીવટી તંત્ર તેમજ વન વિભાગના અધિકારીઓની આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામોમાં ઘુડખરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છેત્યારે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો વહીવટી તંત્ર અને વન વિભાગને રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી. આ મામલે હવે લખતર અને ધાંગધ્રા તાલુકાના 6 ગામના ખેડૂતોએઘુડખર ભગાવોખેતી બચાવોના નારા સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેને લઇને તંત્રની દોડધામ મચી જવા પામી છે. ધણાદપેઢડાઅંકેવાળીયાવણાગંજેડા અને દુમાણા ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કરી ઘુડખર માટે યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારની માંગ કરી છે.

જોકેદર વર્ષે ખેડૂતો મોંઘુ બિયારણમોંઘી મજૂરી અને મોંઘુ ડીઝલ બાળીને ખેતી કરતા હોય છેત્યારે ઘુડખરો ઉભા પાકો ચરી જતા ખેડૂતોને લાખો રૂપિયાનુંનુકસાન વેઠવાનો વારો આવે છે. વન વિભાગ સહિત ધારાસભ્યને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છેછતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એક તરફબાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભ્યારણ પાછળ તંત્ર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ જ ઘુડખર ગામની સીમમાં પહોંચી ખેડૂતોના ખેતરો ચરી જાય રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.