ગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા થઈ શકે છે મોટું એલાન..!

મળતી માહિતી અનુસાર, સમાચાર સામે આવી રહ્યા છે કે, IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

New Update
ગુજરાતમાં IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર, નવા DGPની જાહેરાત પહેલા થઈ શકે છે મોટું એલાન..!

ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં તાજેતરમાં જ મોટા ફેરફારો થયા હતા, ત્યારે સરકારે વર્ષ 2008ની બેચના 3 IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સમાચાર સામે આવી રહ્યા છે કે, IPS અધિકારીઓના પ્રમોશનનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. નવા DGPની જાહેરાત પહેલા IPS અધિકારી પ્રમોશન અપાઈ શકે છે. વર્ષ 1991થી 1995 બેચના IPS અધિકારી ને પ્રમોશન આપવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉપરાંત 1991 બેચના શમશેર સિંહ, મનોજ અગ્રવાલ, 1992 બેચના ડો. કે.એલ.એન રાવ, 1993 બેચના નીરજા ગોટરુ, એચ.એન પટેલ, 1995 બેચના રાજુ ભાર્ગવ અને આર.બી.બ્રહ્મભટ્ટને પ્રમોશન અપાઈ શકે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.