Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી દશ દિવસમાં ત્રીજી લાશ મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર : લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી દશ દિવસમાં ત્રીજી લાશ મળી આવતા ચકચાર
X

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં 10 દિવસમાં ત્રીજી લાશ મળી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે આજે વહેલી સવારના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે એનસી 30 પમ્પીંગ સ્ટેશન પાસે અર્ધનગ્ન હાલતમાં લાશ તરતી હતી. ત્યારે તાત્કાલિક અસરે લખતર પોલીસને જાણકારી આપવામાં આવી હતી. અને લખતર પોલીસ તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને અર્ધનગ્ન હાલતમાં તરતી લાશને ફાયર ફાઈટર બોલાવી અને લાશને બહાર કાઢવામાં આવી હતી.

જેમાં લાશને બહાર કાઢી અને તપાસ હાથ ધરવામાં આવતા તેના ખિસ્સામાં કે કોઈપણ જાતના પુરાવાઓ પોલીસને મળ્યા ન હોવાના કારણે હાલમાં લખતર પોલીસે લખતરની સાર્વજનિક હોસ્પિટલ ખાતે આ લાશને પીએમ માટે મોકલી આપી છે. ત્યારે આ કેનાલ માળીયા બાજુ પાણી પૂરું પાડવા માટે પસાર થઈ છે. જેમાં આ લાશ તરતી હાલતમાં મળી આવી છે. અને આ લાશના કોઈ હજી વંશવાળા મળ્યા ન હોવાનું લખતર પોલીસે જણાવ્યું છે. ત્યારે હાલમાં મળેલી લાશ અંગેની કાર્યવાહી અને તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.

Next Story