આ કરુણ ઘટના તમને હચમચાવી દેશે..! જુનાગઢમાં હૈયાફાટ રુદન સાથે બહેનોએ મૃત ભાઈના કાંડે રાખડી બાંધી...

ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખ્યાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઇને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે

author-image
By Connect Gujarat Desk
New Update

ગોંડલની ખાનગી શાળાની હોસ્ટેલની ગંભીર બેદરકારી

બ્રાહ્મણ પરિવારના દીકરાનું બીમારી બાદ મોત નીપજ્યું

બેજવાબદાર સંચાલકોની બેદરકારીનો પરિજનોનો આક્ષેપ

બહેનોએ અશ્રુભરી આંખે મૃતક ભાઈના હાથે રાખડી બાંધી

સદગતની અંતિમયાત્રામાં લોકોએ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી

જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખ્યાજીનો એકમાત્ર કાંધિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઇને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શૈક્ષણિક સંસ્થાના બેદરકારીભર્યા વહીવટના આક્ષેપ સાથે અશ્રુભરી આખે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવી પડી હતી. મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યુ હતું કેઅમારા દિકારાની સતત 4 દિવસ થયાને તબિયત કથળતી હોય અને સામાન્ય BHMS ડોકટર પાસે સારવાર કરાવી તબિયત વધુ બગડ્યા બાદ વાલીઓને જાણ કરવામાં આવી હતી. જોકેરવિવાર હોયજેથી કોઈ ડોકટરે હાથ પકડ્યો ન હોયને પોતાનો વ્હાલસોયો ગુમાવવો પડ્યો છે.

ગોંડલની ધોળકિયા શાળાના સંસ્થાપકોની બેજવાબદારી અને જે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડતાં મદદ કરવાના બદલે આ ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે. માળિયા હાટીનાના રહેવાશી અને અત્રેની ગોવર્ધન નથજીની હવેલીમાં મુખ્યાજી (પૂજારી) તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક 2 દીકરી અને એક 17વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક વિદ્યાર્થી શ્યામને સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય માળિયાહાટીના બ્રમ્હ સમાજ તેમજ વૈષ્ણવો મોટી સંખ્યામાં સદગતની અંતિમયાત્રા નીકળતા શોક સાથે સંસ્થા પર રોષ વ્યક્ત કર્યો હતો.

જોકેઆજરોજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમસમા રક્ષાબંધનના પવિત્ર દિવસે મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખો અશ્રુ રોકી શકી નહોતી. મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈઓ અને બન્ને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી. તો બીજી તરફવૈષ્ણવ સમાજે પોતાના ધંધા-રોજગાર બંધ રાખી તથા બ્રમ્હ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમયાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી હતી.

 

Read the Next Article

દ્વારકા : નાના વેપારીઓએ તંત્ર સામે ચઢાવી બાયો,SDM  કચેરી બહાર પ્રતીક ઉપવાસ પર બેઠા,કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા

New Update
  • દ્વારકામાં નાના વેપારીઓએ માંડ્યો મોરચો

  • લારી જિલ્લા સીલ કરવામાં આવતા વિરોધ

  • SDM કચેરી બહાર વેપારીઓના પ્રતીક ઉપવાસ

  • કોંગ્રેસ જિલ્લા પ્રમુખે પણ આપ્યું સમર્થન

  • માલધારી ઉંટ સાથે જોડાયા આંદોલનમાં 

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.લારી-ગલ્લા સીલ થતા SDM કચેરીએ પ્રતીક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.જેને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયાએ પણ સમર્થન આપ્યું છે. 

દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી-ગલ્લા અને પાથરણાના નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ અન્યાયના વિરોધમાં આજે દ્વારકાના નાના વેપારીઓ SDM કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.

પાલ આંબલિયાએ ખુલ્લેઆમ દારૂના વેચાણ અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે,દારૂ વેચવાની છૂટ છે પણ છાશ વેચવાની મનાઈ છે,જે સ્થાનિક તંત્રની ભેદભાવભરી નીતિ દર્શાવે છે. તેમણે ભાજપના નેતાઓની હોટલો સામે કાર્યવાહી ન થવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપવાસ આંદોલનમાં ઉંટ ચલાવતા માલધારીઓ પણ તેમના ઉંટ સાથે જોડાયા છે.