વલસાડ : વાપી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટ યોજાશે,મનપાના ઓળખ સમા  લોગો માટે સ્પર્ધાનું આયોજન

પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • વાપી પાલિકને મળ્યો છે મનપાનો દરજ્જો

  • મનપાનું યોજાશે પ્રથમ બજેટ

  • વિકાસલક્ષી કર્યોને મળશે વેગ

  • મનપાના લોગો માટે સ્પર્ધાનું કરાયું છે આયોજન

  • પસંદગી પામનાર કલાકારને મળશે રૂ.21000નું રોકડ ઇનામ  

વલસાડ જિલ્લાના વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાના વર્ષ 2025-26 માટે પ્રથમ વિકાસશીલ બજેટ તૈયાર કરવામાં આવનાર છે.મનપા વિસ્તારમાં આવતા 11 ગામોના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આ બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શહેરના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાસેથી 31 જાન્યુઆરી 2025 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.મનપા દ્વારા આગામી બજેટમાં અંદાજે 400 થી 500 કરોડની જોગવાઈ કરવામાં આવશે.જે વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ થશે. 

આ ઉપરાંત વાપી મહાનગરપાલિકાએ પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે.મનપાએ પોતાના આધિકારિક લોગોની ડિઝાઈન માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છેજેમાં શહેરની વિશિષ્ટ ઓળખ અને લેન્ડમાર્કને પ્રતિબિંબિત કરતો લોગો બનાવવાનો રહેશે.સ્પર્ધામાં ભાગ લેનારા કલાકારોએ આવતા અઠવાડિયામાં પોતાની ડિઝાઇન મહાનગરપાલિકાના ઈ મેઈલ પર સબમિટ કરવાની રહેશે.

મનપાએ નિયુક્ત કરેલી વિશેષ લોગો પસંદગી સમિતિ તમામ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરશે અને શ્રેષ્ઠ ડિઝાઈનની પસંદગી કરશે.વિજેતા કલાકારને રૂપિયા 21000નું રોકડ ઇનામ આપવામાં આવશે.પસંદ કરાયેલો લોગો વાપી મહાનગરપાલિકાની આધિકારિક ઓળખ બનશે અને તેનો ઉપયોગ મનપાની તમામ સ્ટેશનરીલેટરહેડબિલ્ડિંગ અને અન્ય સત્તાવાર દસ્તાવેજો પર કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.