વલસાડ : વાપી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટ યોજાશે,મનપાના ઓળખ સમા  લોગો માટે સ્પર્ધાનું આયોજન

પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું

New Update
  • વાપી પાલિકને મળ્યો છે મનપાનો દરજ્જો

  • મનપાનું યોજાશે પ્રથમ બજેટ

  • વિકાસલક્ષી કર્યોને મળશે વેગ

  • મનપાના લોગો માટે સ્પર્ધાનું કરાયું છે આયોજન

  • પસંદગી પામનાર કલાકારને મળશે રૂ.21000નું રોકડ ઇનામ 

વલસાડ જિલ્લાના વાપી પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બજેટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અને બજેટ અંગે લોકોના સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે.તો બીજી તરફ વાપી મનપાના લોગો માટે ઓપન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકાના વર્ષ 2025-26 માટે પ્રથમ વિકાસશીલ બજેટ તૈયાર કરવામાં આવનાર છે.મનપા વિસ્તારમાં આવતા 11 ગામોના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આ બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.શહેરના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓ પાસેથી 31 જાન્યુઆરી 2025 સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે.

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.મનપા દ્વારા આગામી બજેટમાં અંદાજે 400 થી 500 કરોડની જોગવાઈ કરવામાં આવશે.જે વિવિધ સરકારી ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત વાપી મહાનગરપાલિકાએ પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે.મનપાએ પોતાના આધિકારિક લોગોની ડિઝાઈન માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છેજેમાં શહેરની વિશિષ્ટ ઓળખ અને લેન્ડમાર્કને પ્રતિબિંબિત કરતો લોગો બનાવવાનો રહેશે.સ્પર્ધામાં ભાગ લેનારા કલાકારોએ આવતા અઠવાડિયામાં પોતાની ડિઝાઇન મહાનગરપાલિકાના ઈ મેઈલ પર સબમિટ કરવાની રહેશે.

મનપાએ નિયુક્ત કરેલી વિશેષ લોગો પસંદગી સમિતિ તમામ એન્ટ્રીઓનું મૂલ્યાંકન કરશે અને શ્રેષ્ઠ ડિઝાઈનની પસંદગી કરશે.વિજેતા કલાકારને રૂપિયા 21000નું રોકડ ઇનામ આપવામાં આવશે.પસંદ કરાયેલો લોગો વાપી મહાનગરપાલિકાની આધિકારિક ઓળખ બનશે અને તેનો ઉપયોગ મનપાની તમામ સ્ટેશનરીલેટરહેડબિલ્ડિંગ અને અન્ય સત્તાવાર દસ્તાવેજો પર કરવામાં આવશે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.