વલસાડ : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

વલસાડ શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

New Update

સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું

જિલ્લાના તમામ સફાઈકર્મીનું કરવામાં આવ્યું વિશેષ સન્માન

પોતાના ગામ  અને શહેરને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાય

સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત વલસાડ ખાતે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન સહિત ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજરોજ તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે વલસાડ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન-2024 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર તથા જિલ્લાના તમામ ગામો અને શેરી-મહોલ્લા સહિત સોસાયટીઓ તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરતો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ તમામ સફાઈકર્મીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતાના ગામ અને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટરજિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓની સાથે શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

Read the Next Article

ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરાઇ આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ અને અન્ય મોડલના આંકલન મુજબ ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદનું અનુમાન છે. 27 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી છે. ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં રથયાત્રાના દિવસે પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે,અમદાવાદમાં વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે.  આજે દાહોદ, વડોદરામાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે નવસારી, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ છે. ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.

ગત સોમવારે મેધરાતાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં ફાટ્યું આભ તેવી સ્થિતિ સર્જાઇ હતી. સવાર 8 વાગ્યાથી સાંજે 5 સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ પડી જતાં  સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળા કોલેજના કેમ્પસ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે  રજા જાહેર કરી દેવાઇ હતી.  સુરત શહેરના તમામ વિસ્તારમાં  ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.  સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં દુકાનોમાં રહેલા માલ સમાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે રસ્તા બ્લોક થઇ હતા.