વલસાડ:મોબાઈલની દુકાનમાં કાંકરીચાળો થતા પોલીસ દોડતી થઈ

ગુજરાત | Featured | સમાચાર, વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી,એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો

New Update

વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી .હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી  ત્યાંથી ફરાર થઈ ગયો હતો .બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી .

જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર કરણરાજ વાઘેલા ની સાથે પોલીસ નો મોટો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો .હજુ સુધી કોણે અને કેમ પથ્થરમારો કર્યો તે જાણી શકાયું નથી. પોલીસે પથ્થરમારો કરી અને તોડફોડ કરનાર ને શોધવા દુકાન  અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ખંગાળી  અને આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે..દુકાન પર  પથ્થરમારા ની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ પર છે.

Read the Next Article

રોડ નહીં, તો ટોલ નહીં..! : વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનું ઉગ્ર વિરોધ પ્રદર્શન....

વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણ, વાપી, વલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારા “રોડ નહીં, તો ટોલ નહીં”ના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશનનો વિરોધ

  • હાઇવે પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકાર્યા

  • હલ્લાબોલ કરવા સાથે માર્ગ પર ચક્કાજામ પણ કરાયો

  • ઉગ્ર વિરોધ પ્રદર્શનથી માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો

  • વરસાદે વિરામ લેતા પેચવર્કની કામગીરી શરૂ કરાશે :NHAI

સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છેત્યારે વલસાડના બગવાડા ટોલનાકા ખાતે ટેક્ષી એસોસિએશન દ્વારા હલ્લાબોલ સાથે ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

વલસાડના બગવાડા ટોલનાકા ખાતે દમણવાપીવલસાડ અને સેલવાસ ટેક્સી એસોસિએશન દ્વારારોડ નહીંતો ટોલ નહીંના બેનરો સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કેભીલાડ સુધી નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ખાડાઓના કારણે લોકોના વાહનોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીંલોકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.

બગવાડા ટોલનાકા ખાતે મોટી સંખ્યામાં ટેક્સી માલિકો અને ટેક્સી ચાલકો રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ ટોલબુથની ઓફીસ પર પહોંચીને વિરોધ કર્યો હતો. રોડની ખરાબ હાલતને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી તાત્કાલિક ધોરણે રોડ બરાબર બનાવવામાં આવે તેવી માગ કરાય હતી. જોકેસમગ્ર મામલે વિરોધ પ્રદર્શન શરૂ થતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં તાત્કાલિક પારડી પોલીસ સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહ્યા લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

જોકેઆ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટરે જણાવ્યું હતું કેઆ જે હાઇવે છે એ 6 લેન વાળો છેઅને આ હાઇવે પર સૌથી વધારે ટ્રાફિક હોય છે. આ સાથે જ આ વિસ્તારોમાં જે રીતે વરસાદ પડે છેજેને લઇને હાઇવેમાં પેચવર્કની કામગીરી ધીમી પડી જતી હોય છેત્યારે વરસાદ વિરામ લેતા જ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવાયું છે.