વલસાડ:મોબાઈલની દુકાનમાં કાંકરીચાળો થતા પોલીસ દોડતી થઈ

ગુજરાત | Featured | સમાચાર, વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી,એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો

New Update

વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી .હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી  ત્યાંથી ફરાર થઈ ગયો હતો .બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી .

જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર કરણરાજ વાઘેલા ની સાથે પોલીસ નો મોટો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જો કે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો .હજુ સુધી કોણે અને કેમ પથ્થરમારો કર્યો તે જાણી શકાયું નથી. પોલીસે પથ્થરમારો કરી અને તોડફોડ કરનાર ને શોધવા દુકાન  અને આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ખંગાળી  અને આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે..દુકાન પર  પથ્થરમારા ની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ પર છે.

Latest Stories