પાટણ-બાદરપુરામાં વીજ વાયરો તૂટી પડતાં ગ્રામજનોના જીવ પડિકે બંધાયા...

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુરના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે દલિત વાસમાં કેટલાક વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા.

New Update

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામે વાવાઝોડાના કારણે તૂટી પડેલા જીવતા વીજ વાયરોથી ગ્રામજનોના જીવ પડિકે બંધાયા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ નિગમની ગંભીર બેદરકારી સામે આવી છે. રાધનપુરના બાદરપુરા ગામે ગતરોજ રાત્રે ત્રાટકેલા વાવાઝોડાના કારણે દલિત વાસમાં કેટલાક વીજ વાયરો અને વીજ પોલ તૂટી પડ્યા હતા. જીવતા વીજ વાયરો તૂટી પડતાં દલિત વાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેવામાં વીજ કરંટથી કોઈ જાનમાલને નુકશાન ન થાય તે માટે વીજ પુરવઠો બંધ કરવા મહિલા સરપંચના પતિએUGVCLના કર્મચારીને ફોન પર સંપર્ક કર્યો હતોત્યારેUGVCLના કર્મચારીએ ફોન પર જણાવ્યુ હતું કે, “મારી નોકરી પૂરી થઈ છેઓફિસે વાત કરો..” UGVCLના લેન્ડલાઈન નંબર પર કોલ કરવા છતાં કોઈએ પણ ફોન ઉઠાવ્યો નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. જોકે2 કલાક બાદUGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ તૂટેલા વીજ વાયરોના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને ગ્રામજનોમાંUGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે.

Read the Next Article

સુરત : શહેર ભવ્ય તિરંગા યાત્રામાં તરબોળ, "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની" થીમ પર હજારો લોકો ઉમટ્યા

આ યાત્રા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો

New Update
  • ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન

  • યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ

  • 1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો

  • કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન

  • હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં  

સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ  લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતાજેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત  દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગાહર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતોજેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.

તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.