ઘેડ પંથકમાં ઠેર ઠેર સર્જાય જળ બંબાકારની પરિસ્થિતી
પીપલાણા ગામે પરિવારના સભ્યનું થયું હતું કુદરતી મોત
લોકો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર
પરિજનોએ મહા મુસીબતે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો
સ્મશાન પાણીમાં ગરકાવ થતાં મૃતકના પરિજનોમાં મૂંઝવણ
જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં જળ બંબાકારની સ્થિતિ વચ્ચે લોકો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કેટલીક જગ્યાએ આ વરસાદ આફતરૂપ બની ગયો છે. જીહાં, જુનાગઢ જિલ્લામાં મેઘો મુસિબત બન્યો હતો. માણાવદર તાલુકાના પીપલાણા ગામની આ ઘટના છે.
પીપલાણા ગામે પરિવારના સભ્યનું મોત થતાં સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જોકે, હાલમાં વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા હોય, ત્યારે મૃતકના પરિજનો સહિત ગ્રામજનો કેડસમા પાણીમાં થઈ સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા. પરિજનોએ પાણીમાં થઈ ભારે મુસીબત વેઠીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મૃતકના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા.