મોત પછી પણ મજબુરી..! : જુનાગઢના પીપલાણા ગામે કેડસમા પાણીમાં ગ્રામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા
મૃતકના પરિજનોએ પાણીમાં થઈ ભારે મુસીબત વેઠીને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ જતાં મૃતકના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા.