સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલને નકલી પોલીસે તેમની પાસે ડિગ્રી નથી તેમજ ગેરકાયદે ક્લિનિક ચલાવે છે કહી માર માર્યો હતો, અને સમાચાર પત્રોમાં નામ ચડાવી દેવાની ધમકી આપી હતી,તેમજ રૂપિયા 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પડાવી લીધો હતો. જેમાં રૂપિયા 1 લાખ 50 હજારના અને 2 લાખ 50 હજારના સેલ્ફના ચેક અને લેપટોપ સામેલ છે. ઘટના વિશે તબીબે એક મિત્રને જણાવતા તેમણે તપાસ કરાવી હતી, જેમાં તોડ કરનાર નકલી પોલીસ નીકળ્યા હતા.ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે હિતેશ પ્રવીણ પટેલ, હર્ષિત અતુલ દિહોરા, રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.
સુરત પાંડેસરામાં નકલી પોલીસના નામે તોડ કરનારા ઝડપાયા
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલને નકલી પોલીસે તેમની પાસે ડિગ્રી નથી તેમજ ગેરકાયદે ક્લિનિક ચલાવે છે કહી માર માર્યો હતો, અને સમાચાર પત્રોમાં નામ ચડાવી દેવાની ધમકી આપી હતી,તેમજ રૂપિયા 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પડાવી લીધો હતો. જેમાં રૂપિયા 1 લાખ 50 હજારના અને 2 લાખ 50 હજારના સેલ્ફના ચેક અને લેપટોપ સામેલ છે. ઘટના વિશે તબીબે એક મિત્રને જણાવતા તેમણે તપાસ કરાવી હતી, જેમાં તોડ કરનાર નકલી પોલીસ નીકળ્યા હતા.ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે હિતેશ પ્રવીણ પટેલ, હર્ષિત અતુલ દિહોરા, રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.