સુરત પાંડેસરામાં નકલી પોલીસના નામે તોડ કરનારા ઝડપાયા

સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ

author-image
By Connect Gujarat Desk
New Update
સુરતના પાંડેસરામાં નકલી પોલીસની તોડબાજી 
વૃદ્ધ તબીબને ધમકાવી કરી તોડબાજી 
ભેજાબાજોએ 4.50 લાખની કરી તોડબાજી 
સમાચાર પત્રોમાં નામ છપાવી દેવાની આપતા હતા ધમકી
સુરત પોલીસે નકલી પોલીસ બનેલા ત્રણે દબોચી લીધા 
નકલી પોલીસ આખરે અસલી પોલીસના હાથે ઝડપાયા   

સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલને નકલી પોલીસે તેમની પાસે ડિગ્રી નથી તેમજ ગેરકાયદે ક્લિનિક ચલાવે છે કહી માર માર્યો હતો, અને સમાચાર પત્રોમાં નામ ચડાવી દેવાની ધમકી આપી હતી,તેમજ રૂપિયા 4 લાખ 50 હજારનો મુદ્દામાલ પડાવી લીધો હતો. જેમાં રૂપિયા 1 લાખ 50 હજારના અને 2 લાખ 50 હજારના સેલ્ફના ચેક અને લેપટોપ સામેલ છે. ઘટના વિશે તબીબે એક મિત્રને જણાવતા તેમણે તપાસ કરાવી હતી, જેમાં તોડ કરનાર નકલી પોલીસ નીકળ્યા હતા.ડો. જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસની ટીમે હિતેશ પ્રવીણ પટેલ, હર્ષિત અતુલ દિહોરા, રાજેન્દ્ર વાજા અને ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.
વૃદ્ધ તબીબ ડો.જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજના અન્ય તબીબને ત્યાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાજાએ બનાવી હતી. અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે આરોપી હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર ફોન-પે માં નોકરી કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.