શું તમે પણ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિક જામમાં ફસાયા છો..? તો જુઓ, ટ્રાફિક જામ થવાનું શું છે કારણ..!

અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે

New Update

છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે થતો ટ્રાફિક જામ

ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીમાં ટ્રાફિક જામ

ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો

ઉમા ભવન ફાટક નજીક ભરાતું પાણી ટ્રાફિક જામનું કારણ

તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી છેલ્લા 3-4 દિવસથી ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકેઆ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વરGIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો થયો છે. તેવામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. જેના કારણે કામ-ધંધે જતાં હજારો લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આમ તો અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામમોખરેછે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે. મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ભવન રેલ્વે ફાટક પાસે ભરાતું વરસાદી પાણી ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ સાબિત થયું છે.

કારણ કેઅહી પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. માર્ગ પર ખાડા પણ પડી ગયા હોવાથી અનેક વાહનો ભટકાય છે. ઉપરાંત રેલ્વે કન્ટેનર યાર્ડમાં આવતા-જતાં કન્ટેનર સહિતના મોટા વાહનોના પગલે અહી ટ્રાફિક જામ થવું સામાન્ય બન્યું છે.

તો બીજી તરફટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ જવાનો અનેBTETના માર્શલો ખડેપગે તૈનાત રહી ફરજ બજાવે છે. જોકેહવે અહી ભરાતા વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરી લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે NH 48 પર લાગ્યા વાહનોના થપ્પા, ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ

વરસાદી માહોલ વચ્ચે વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

New Update
Traffic Jam

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે આજરોજ વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક પણ વાહનોની લાંબી કરતાં લાગી હતી. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાતા વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના પગલે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે ત્યારે માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે.