શું તમે પણ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ટ્રાફિક જામમાં ફસાયા છો..? તો જુઓ, ટ્રાફિક જામ થવાનું શું છે કારણ..!

અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે

New Update

છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ વચ્ચે થતો ટ્રાફિક જામ

ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીમાં ટ્રાફિક જામ

ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકીનો સામનો

ઉમા ભવન ફાટક નજીક ભરાતું પાણી ટ્રાફિક જામનું કારણ

તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી છેલ્લા 3-4 દિવસથી ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

 વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર રાજપીપળા ચોકડી નજીક નવા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકેઆ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો થયો છે. તેવામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર શહેરના ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે. જેના કારણે કામ-ધંધે જતાં હજારો લોકો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

 આમ તો અવારનવાર થતાં ટ્રાફિક જામના પગલે સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર શહેરનું નામ મોખરે છે. પરંતુ ગડખોલ ઓવરબ્રિજથી મહાવીર ટર્નિંગ સુધી થતાં ભારે ટ્રાફિક જામનું મુખ્ય કારણ પણ કઈક અલગ જ છે. મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઉમા ભવન રેલ્વે ફાટક પાસે ભરાતું વરસાદી પાણી ટ્રાફિક જામ થવાનું મુખ્ય કારણ સાબિત થયું છે.

કારણ કેઅહી પાણી ભરાવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. માર્ગ પર ખાડા પણ પડી ગયા હોવાથી અનેક વાહનો ભટકાય છે. ઉપરાંત રેલ્વે કન્ટેનર યાર્ડમાં આવતા-જતાં કન્ટેનર સહિતના મોટા વાહનોના પગલે અહી ટ્રાફિક જામ થવું સામાન્ય બન્યું છે.

તો બીજી તરફટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ જવાનો અને BTETના માર્શલો ખડેપગે તૈનાત રહી ફરજ બજાવે છે. જોકેહવે અહી ભરાતા વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરી લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

અમરેલી : સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી ખેતીની જમીનનું થયું ધોવાણ,22 ફૂટના ખાડા પડતા ખેતી માટે મુશ્કેલ

અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા

New Update
  • સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી

  • ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન

  • વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ

  • ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા

  • રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત  22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.

 અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડીહીપાવડલીમેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને  ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.

સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબાપીપરડીફીફાદમેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.

સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતરબિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં  જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને  ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.