ભરૂચ : હરિયાણામાં થયેલ યુવતીની હત્યાના વિરુદ્ધ લોકોમાં રોષ, કલેક્ટર કચેરી ખાતે AHPએ પાઠવ્યું આવેદન પત્ર

New Update
ભરૂચ : હરિયાણામાં થયેલ યુવતીની હત્યાના વિરુદ્ધ લોકોમાં રોષ, કલેક્ટર કચેરી ખાતે AHPએ પાઠવ્યું આવેદન પત્ર

હરિયાણાના વલ્લભગઢમાં એક તરફી પ્રેમમાં 2 નરાધમ દ્વારા જાહેરમાં ગોળી મારી યુવતીની હત્યા કરી નાખવામાં આવતા નરાધમો સામે કડક પગલાં ભરવા તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

મનુષ્ય પોતાના અહંકારમાં કેટલીક વખત ન કરવાનું પણ કરી બેસે છે, ત્યારે હરિયાણાના વલ્લભગઢની કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથેના એક તરફી પ્રેમમાં મગ્ન બનેલ નરાધમે યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી. કોલેજમાં અભ્યાસ કરતી નિર્દોષ યુવતીનો ભોગ લઈ લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે યુવતીની હત્યા કરનાર નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં બનતી દુષ્કર્મ અને યુવતીઓની હત્યાની ઘટનાના પગલે હવે મહિલા સુરક્ષા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળી આગળ આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. હિન્દુ બાળકી અને યુવતીની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા લવ જીહાદના આરોપીઓના વિરુદ્ધમાં કડક સજા મળે તેવો કાયદો પસાર કરવા અંગે પણ અપીલ કરાઇ હતી, ત્યારે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી હરિયાણામાં બનેલી ઘટનાના આરોપીઓને સખત સજા ફટકારવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી યુવતીના પરિવારજનોને વહેલી તકે ન્યાય મળે તેવી માંગ કરી હતી.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.