ભરૂચ: ડો.કિરણ સી.પટેલની આધુનિક સુવિધામાં થશે વધારો,200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલનું કરાશે નિર્માણ

ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિના મૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે.જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે.

New Update
  • ભરૂચ જિલ્લાવાસીઓએ સુરત વડોદરાનાધક્કા ખાવા નહીં પડે

  • ડો.કિરણ સી.પટેલ જનરલહોસ્પિટલનીસુવિધામાં થશે વધારો

  • 200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે

  • દર્દીઓને કાર્ડિયોલોજીનેફ્રોલોજીન્યુરોલોજીની સુવિધાનો મળશે લાભ

  • અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી પણ કરાવી શકાશે

ભરૂચમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આશીર્વાદ સમાન ડો.કિરણ સી.પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંદર્દીઓની સુવિધામાં વધારો થશે,આગામી સમયમાં હોસ્પિટલમાં200 બેડનીઆધુનિક સુપર મલ્ટી હોસ્પિટલનુંનિર્માણ કરવામાં આવશે,અને હોસ્પિટલની સારવાર નોલાભ દર્દીઓને મળશે.

ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ2019માં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો.ત્યાર બાદ તેમની સુવિધાઓથી હાલમાં સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે.જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિના મૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે.જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે.

એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતા અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે.ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટ ( સિવિલ હોસ્પિટલ) માં કાર્યરત છે.ત્યારે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે.


આ બાબતે ભરૂચની ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડો.ગોપીકા મેખીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડો.કિરણ. સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઈન્સ્ટિટ્યૂટે દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમારા ડો.કિરણ. સી.પટેલ અને સીએમડી ડો.મિતેષ શાહનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકો સારી અને સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે.જેમાં કેસ બારી તો હોય પરંતુ કેશ બારી ન હોય તે આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે.અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો,સોનોગ્રાફી,ઇકો કાર્ડિયોગ્રામ,ઓપરેશન થિયેટર અને સારામાં સારા તબીબોની સુવિધાઓ આપી રહ્યા છે.

આ સાથે ડો.કિરણ.સી.પટેલ મેડિકલ કોલેજ અને રિચર્સ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઉભી કરવા જઈ રહ્યું છે.જેમાં સિવિલ સંકુલમાં200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન200 બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે.

જેમાં જિલ્લાવાસીઓને અહીંયા જ કાર્ડિયોલોજીનેફ્રોલોજીન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે.આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા પડે તેવી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે.

ઉલ્લેખની હશે કે ગુજરાતભરના દવાખાનામાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવે છેત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ફાયરની સિસ્ટમ સાથે એક ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે.જે આ સાધનોને રેગ્યુલર ચેકિંગ અને દેખરેખ રાખતી હોય છે. જેનાથી ભવિષ્યમાં આગ જેવી ઘટના હોસ્પિટલમાં બને તો દર્દીઓ સહિત સિવિલ સ્ટાફને કોઈ જાનહાની ન પહોંચે અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે થઈ શકે.

Read the Next Article

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપો આ ખોરાક : નિષ્ણાત

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને સક્રિય જીવનશૈલી જરૂરી છે, જેના કારણે તેમનું શરીર આપમેળે મજબૂત બને છે.

New Update
immunity

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને સક્રિય જીવનશૈલી જરૂરી છે, જેના કારણે તેમનું શરીર આપમેળે મજબૂત બને છે. આ લેખમાં દર્શાવેલ નાની આદતો જ તેમને મોટો ફાયદો આપી શકે છે અને તેમને સ્વસ્થ, ખુશ અને સક્રિય રાખી શકે છે.

કોઈને હસતા બાળકો પસંદ નથી. જો બાળકોને સારા આહારની સાથે યોગ્ય પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેમને રોગોથી બચાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે હવામાન બદલાતાની સાથે જ બાળકોને વારંવાર શરદી, ઉધરસ અથવા તાવની તકલીફ થાય છે. આનું મુખ્ય કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ હોઈ શકે છે.

બદલાતું હવામાન (વરસાદની ઋતુમાં બાળકોની સંભાળ કેવી રીતે રાખવી), ધૂળ અને બહારનો ખોરાક, આ બધાની બાળકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો વારંવાર શરદી, પેટમાં દુખાવો અથવા તાવથી પરેશાન થાય છે. આનું મુખ્ય કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ છે. જો બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો તેમનું શરીર જાતે જ રોગો સામે લડવા સક્ષમ બને છે. સારી વાત એ છે કે કેટલાક સરળ ઘરેલું ઉપચાર અને સ્વસ્થ આદતો અપનાવીને, તમે કુદરતી રીતે બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે બાળકોના પેટને સ્વસ્થ રાખે છે અને સારા બેક્ટેરિયા વધારે છે. આ રોગપ્રતિકારક શક્તિ (શું ખવડાવવું?) ને મજબૂત બનાવે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. ઠંડા દહીં ઉનાળામાં બાળકોને ઘણી રાહત આપે છે. તમે તેને ફળો ભેળવીને સ્મૂધી અથવા લસ્સી તરીકે પણ આપી શકો છો.

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. રાત્રે બાળકોને હળદરનું દૂધ આપવાથી તેમની ઊંઘ સારી થાય છે અને શરીરમાં બળતરા અથવા બેક્ટેરિયા સામે લડવાની શક્તિ મળે છે. હળદરનું દૂધ ગળાના દુખાવા, ખાંસી અને શરદીમાં પણ ખૂબ અસરકારક છે.

આ સૂકા ફળો (જેમણે તે ન ખાવા જોઈએ) માં વિટામિન E, સ્વસ્થ ચરબી અને ઝીંક હોય છે, જે બાળકોના મગજ અને રોગપ્રતિકારક શક્તિ બંને માટે જરૂરી છે. તમે તેમને પીસીને દૂધમાં ઉમેરી શકો છો અથવા હળવા શેકીને નાસ્તા તરીકે આપી શકો છો.

ખાસ કરીને નારંગી, કીવી, પપૈયા, જામફળ જેવા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ફળો એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

પાલક, ગાજર, શક્કરિયા અને ટામેટા જેવા રંગબેરંગી શાકભાજીમાં વિટામિન A, આયર્ન અને ફાઇબર હોય છે. તે બાળકોના આંતરિક શરીરને શુદ્ધ કરે છે અને તેમને ઉર્જા પણ આપે છે. તમે તેમને પરાઠા, સૂપ અથવા કટલેટ જેવા બનાવી શકો છો જેથી બાળકો તેમને સરળતાથી ખાઈ શકે.

ઈંડું પ્રોટીન અને વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. કઠોળમાં પ્રોટીન અને આયર્ન પણ હોય છે. આ બંને વસ્તુઓ શરીરના કોષોને શક્તિ આપે છે અને બાળકોના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે.

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. તમે તેને હૂંફાળા પાણી અથવા દૂધમાં ભેળવીને આપી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે એક વર્ષથી નાના બાળકોને મધ ન આપવું જોઈએ.

બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી મુશ્કેલ કાર્ય નથી. ફક્ત થોડી સમજ અને યોગ્ય ખોરાકની પસંદગી જરૂરી છે. બાળકોને દરરોજ તાજો, રંગબેરંગી અને પૌષ્ટિક ખોરાક આપો, જેથી તેમનું શરીર રોગોથી બચી શકે અને તેઓ સ્વસ્થ રહે. તેમજ ખાતરી કરો કે બાળકોને પૂરતી ઊંઘ મળે, સૂર્યપ્રકાશમાં થોડો સમય રમવું અને સ્વચ્છતાનું પાલન કરવું, આ બધું મળીને તેમની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવશે.

 Health is Wealth | boost immunity | childrens health | Healthy Food