શું તમારા વાળમાં પણ થઈ ગઈ છે ડેંડરફની સમસ્યા, તો કપૂર સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો વાળમાં, તરત જ મળશે રીઝર્ટ.....

લગભગ દરેક વ્યક્તિને વાળમાં ખોડો અને માથામાં પોપળા જેવી અનેક સમસ્યાઓ રહેતી હોય છે.

New Update
શું તમારા વાળમાં પણ થઈ ગઈ છે ડેંડરફની સમસ્યા, તો કપૂર સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવો વાળમાં, તરત જ મળશે રીઝર્ટ.....

લગભગ દરેક વ્યક્તિને વાળમાં ખોડો અને માથામાં પોપળા જેવી અનેક સમસ્યાઓ રહેતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે. આમ કરવાથી પણ ઘણી વાર આ સમસ્યામાંથી છુટકારો મળતો નથી. આવા લોકો માટે પુજા પાઠ અને આરતીમાં વપરાતું કપૂર ખૂબ જ ફાયદાકારક બને છે. તેને લગાવવાથી વાળમાં ખોડો અને માથા પરના પોપડા દૂર થાય છે. કપૂરમાં એંટીફંગલ અને એંટીબેક્ટેરિયલ ગુણ હોવાથી કપૂર વાળમાં રહેલા કોલાજનના પ્રોડકશનને પ્રોત્સાહન આપે છે. જે વાળના ટેક્સચરને બરાબર રાખે છે. આવો જાણીએ તેને ઉપયોગ કરવાની રીત....

· ખોડાને દૂર કરવાની 5 સરળ રીતો

૧. કપૂર સાથે લીંબુનો ઉપયોગ કરો

કપૂર સાથે લીંબુનો ઉપયોગ કરવાથી ખોડો દૂર થાય છે. આ માટે એક લીંબુને પીસીને તેમાં કપૂર મિક્સ કરીને સ્કેલ્પ અને વાળમાં લગાવો. તેને લગભગ ૩૦ મિનિટ સુધી લગાવી રાખો અને પછી શેમ્પૂ કરો. આમ કરવાથી ખોડાની સમસ્યા દૂર થઈ જાય છે.

૨. કપૂર સાથે નાળિયેરના તેલનો ઉપયોગ કરો

કપૂર સાથે નાળિયેરનું તેલ માથાની ખંજવાળ દૂર કરવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો તમને ખંજવાળ કે ફંગસની સમસ્યા હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે નારિયેળનું તેલ ગરમ કરી તેમાં થોડું કપૂરનો પાવડર ઓગાળી લો. આ પછી, તેને તમારા સ્કેલ્પ પર લગાવો. તેને ૧ કલાક માટે રહેવા દો અને પછી તેને શેમ્પૂથી ધોઈ નાખો. આમ કરવાથી ખંજવાળ પણ શાંત થઈ જશે અને ફંગસનું કારણ બનતો ડેન્ડ્રફ પણ દૂર થશે.

૩. કપૂર સાથે લીમડાનો ઉપયોગ કરો

જો તમે ખોડાથી પરેશાન છો, તો કપૂર સાથે લીમડાનો ઉપયોગ વધુ ફાયદાકારક રહેશે. આ માટે કપૂર અને લીમડાના પાનને પીસી લો. હવે તેને તમારા વાળ અને સ્કેલ્પ પર લગાવો. તેને લગભગ 30-40 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને સારી રીતે ધોઈ લો. આમ કરવાથી વાળની સ્કેલ્પ સાફ થઈ જશે. તેમજ ખોડો અને ખંજવાળની સમસ્યા પણ દૂર થશે.

૪. કપૂર, અરીઠા અને દહીંનો ઉપયોગ કરો.

કપૂર, અરીઠા અને દહીંનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમને જણાવી દઇએ કે, અરીઠા વાળને હેલ્ધી રાખે છે અને કપૂર એન્ટીબેક્ટેરિયલ બનીને સ્કેલ્પની સમસ્યામાં રાહત અપાવે છે. આ સિવાય દહીં લગાવવાથી ખંજવાળથી રાહત મળે છે. તેને લગાવવા માટે અરીઠાને ઉકાળીને તેમાં દહીં અને કપૂર પીસીને મિક્સ કરી લો. તેને લગાવ્યાના લગભગ 30 મિનિટ પછી શેમ્પૂ કરી શકાય છે.

૫. કપૂર અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો.

સ્કેલ્પ ઇન્ફેક્શન અને માથામાં ખંજવાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કપૂર અને ઓલિવ તેલ અસરકારક હોઈ શકે છે. આ માટે ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં કપૂરને પીસીને મિક્સ કરી લો. આ પછી તેને સ્કેલ્પ પર લગાવો. લગભગ 30 મિનિટ સુધી લગાવ્યા બાદ તમે તેને શેમ્પૂ કરી શકો છો.