અલ્ઝાઈમરની સમસ્યા કેમ થાય છે, આ રીતે દર્દીની સંભાળ રાખો

જો તમે અલ્ઝાઈમરથી પીડિત છો તો તમારે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ રોગમાં દર્દીની યાદશક્તિ એટલી નબળી થઈ જાય છે કે તેને કંઈપણ ઓળખવાની સમજ નથી હોતી. તે પોતાની જરૂરી વસ્તુઓ પણ ભૂલી જવા લાગે છે.

New Update
અલ્ઝાઈમરની સમસ્યા કેમ થાય છે, આ રીતે દર્દીની સંભાળ રાખો

ઘણીવાર તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું જ હશે, તેઓ કોઇપણ કામ કરવાનું , યાદ રાખવાનું વારંવાર ભૂલી જવાની ટેવ હોય છે. તો લોકો ને આ અલ્ઝાઈમરની નિશાની હોઈ શકે છે. આ એક મગજનો રોગ છે જેમાં વ્યક્તિની વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતા ઘટી જાય છે. આ રોગમાં યાદશક્તિ પ્રભાવિત થાય છે.

એવું માનવામાં આવે છે કે વૃદ્ધો અલ્ઝાઈમરથી વધુ પીડાય છે, પરંતુ હવે યુવાનો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. આ રોગની સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો સ્થિતિ વધુ બગડતી જશે.

આ રોગ વિશે ઘણા સંશોધનો થયા છે, જેમાં જાણવા મળ્યું છે કે 30 કે 40 વર્ષની વયના લોકોને પણ આ રોગ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ રોગની શોધ સૌપ્રથમ 1906 માં જર્મન મનોવિજ્ઞાની અને ન્યુરોલોજિસ્ટ એલોઈસ અલ્ઝાઈમર દ્વારા કરવામાં આવી હતી. તેથી જ આ રોગનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

અલ્ઝાઈમરના લક્ષણો :-

· વિચારવાની શક્તિ ગુમાવવી

· કોઈપણ નિર્ણય પર પરેશાની

· મૂડમાં ફેરફાર

· સ્વચ્છતાનો અભાવ

· કંઈપણ ઓળખવામાં કે ભૂલી જવામાં મુશ્કેલી.

અલ્ઝાઈમરથી પીડિત વ્યક્તિની આ રીતે કાળજી લો :-

- આ રોગથી પીડિત વ્યક્તિને ધૂમ્રપાન કરવાથી રોકવાનો પ્રયાસ કરો. જો તેઓ આલ્કોહોલ, સિગારેટ કે કોઈ નશાના વ્યસની હોય તો આ આદત જલદીથી છોડો.

- અલ્ઝાઈમરના દર્દીને એકલા ન છોડો નહીંતર આ સમસ્યા વધુ વધી શકે છે. તેમની સાથે વાત કરો, તેઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરો.

- દર્દીને કસરત કરાવો. તેનાથી શરીરની સાથે મન પણ સક્રિય રહેશે. ધ્યાન પણ કરાવો, તેનાથી વધુ ફાયદો થશે.

- પીડિતને એન્ટીઑકિસડન્ટ પીણાં આપો. તે મનને શાંત રાખવામાં મદદ કરે છે. તેમને ગ્રીન ટી અથવા ફ્રૂટ જ્યુસ આપવાનું ધ્યાન રાખો.

- અલ્ઝાઈમરના દર્દીએ લીલા શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Read the Next Article

સુરત : જે ખોરાક તમે ખાઓ છો (અથવા સ્કીપ કરો છો) તે તમારા અંડકોષની ગુણવત્તા પર અસર કરી શકે છે : ડો.આશિતા જૈન

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ, એડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.

New Update
Dr. Ashita Jain

મહિલાઓની ફર્ટિલિટી (સફળ ગર્ભધારણ) ની વાત કરીએ તો એગ (અંડકોષ)ની ગુણવત્તાએ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. પરંતુ ઉંમરની અસર ઉપરાંત એગની ગુણવત્તા ઘટવા પાછળના અન્ય ઘણા પરિબળો પર ઓછું ધ્યાન અપાય છે. જ્યારે ઉંમર એગના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરે છેત્યારે પોષણ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે અને હકીકતમાં તે સુધારી શકાય તેવું પરિબળ છે.

સુરતના જાણીતા ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ,બિરલા ફર્ટિલિટી એન્ડ આઇવીએફના ડો.આશિતા જૈને આ અંગે વિસ્તાર પૂર્વક માહિતી આપતા જણાવ્યું હતું કે નેચરલ કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના બેથી ત્રણ મહિના સમયગાળો સંવેદનશીલ હોય છે. આ તે સમય છે જ્યારે ઓવ્યુલેશન માટે નિયત એગ તેના વિકાસની જર્ની શરૂ કરે છે અને તેથી આ સમયગાળા દરમિયાન લેવાતા પોષક તત્વો તે એગના સ્વાસ્થ્યને નક્કી કરવા માટે જવાબદાર બને છે.

ફોલેટવિટામિન ડીઓમેગા-3 ફેટી એસિડ્સસેલેનિયમ અને CoQ10 જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઓક્સિડેટીવ સ્ટ્રેસને રોકીનેમાઇટોકોન્ડ્રિયલ ફંક્શનને સુધારીને અને સામાન્ય ક્રોમોઝોમલ ડેવલપમેન્ટને સરળ બનાવીને એગની પરિપક્વતામાં વધારો કરે છે. આ પોષક તત્વો લીલા પાંદડાવાળા શાકભાજીકઠોળબીજનટ્સસાબુત અનાજ અને ઓઇલી ફિશ જેવા ખોરાકમાંથી મળી શકે છે.

ડાયેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સએડેડ શુગર અને ટ્રાન્સ ફેટ્સનું વધુ પ્રમાણથી ક્રોનિક ઇન્ફ્લેમેશન થઈ શકે છે અને ઇન્સ્યુલિન રેગ્યુલેશનમાં ખલેલ પહોંચાડી શકે છે.આ બંને સ્થિતિઓ હોર્મોનલ સંતુલન અને ઓવ્યુલેશનને નુકસાન પહોંચાડે છે. સમય જતા આ એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે અને કન્સેપ્શનને સફળ બનાવવાની સંભાવના પણ ઘટાડી શકે છે.

રિસ્ટ્રિક્ટિવ ડાયેટરી પેટર્ન પણ જોખમભરી છે. મીલ સ્કીપ કરવું અથવા ખૂબ જ ઓછી કેલરી વાળું ભોજન લેવાથી ઓવરીઝ અને મગજ વચ્ચેનો હોર્મોનલ કમ્યુનિકેશન ડિસરપ્ટ થઈ શકે છેજેના પરિણામે અનિયમિત પીરિયડ્સ અથવા ઓવ્યુલેશનમાં વિલંબ થઈ શકે છે. વધુમાં ગટ હેલ્થજેને સામાન્ય રીતે ઓછું મૂલ્ય આપવામાં આવે છેતે પોષકતત્ત્વોના શોષણ અને ઇસ્ટ્રોજન મેટાબોલિઝમને મોડ્યુલેટ કરીને રિપ્રોડક્ટિવ વેલ્બિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

એ સમજવું જરૂરી છે કેપોષણ યુક્ત ભોજન માત્ર ઉંમર સંબંધિત ઘટાડાને ઊલટાવી શકાતું નથી અથવા ફર્ટિલિટીના બધા કારણોની સારવાર કરી શકતું નથીપરંતુ તે મહિલાઓના નિયંત્રણમાંના થોડા લીવર્સમાંથી એક છે,જે સીધું તેમના એગના સેલ્યૂલર હેલ્થને સપોર્ટ કરે છે.

કન્સેપ્શનનો પ્રયાસ કરતા પહેલાના મહિનાઓ દરમિયાન શરીરને શું મળે છે તેની નોંધ લેવાથી માત્ર એગની ગુણવત્તા પર જ નહીંપરંતુ ફર્ટિલાઇઝેશન અને પ્રારંભિક ભ્રૂણ વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પર પણ નોંધપાત્ર ફરક પડી શકે છે.