/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/18103840/vvv-1-e1616044138636.jpg)
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરુવાર સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ કે આવતા 48 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર જોવા મળશે નહિ પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. IMDએ બુધવારે કહ્યુ કે, 'આવતા 5 દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય દેશમાં કોઈ ભાગોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે નહિ. સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં 17 અને 18 માર્ચે હીટવેવની સ્થિતિ રહેશે.'
હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કર્યુ
હવામાન ખાતાએ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ પણ જાહેર કર્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ કે, 'સામાન્ય લોકો આ ગરમી સહન કરી શકશે પરંતુ નવજાત બાળકો, વૃદ્ધો અને ગંભીર બિમારીવાળા લોકો માટે આ ગરમી થોડી ચિંતા વધારી શકે છે.' વધુમાં વિભાગે કહ્યુ હતુ કે લોકોએ આ હીટવેવા બહાર જવાનુ ટાળવુ જોઈએ.
હવામાન વિભાગ ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 4.5°C અને 6.4°C તાપમાન વધુ હોય અથવા સબ ડિવિઝનમાં સતત બે દિવસ માટે મહત્તમ તાપમાન 45°Cથી વધુ હોય ત્યારે હીટવેવ જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછુ 40°C અને સામાન્ય કરતા 6.4°Cથી વધુ અથવા મહત્તમ તાપમાન 47°Cથી વધુ હોય ત્યારે ગંભીર હીટવેવ ગણવામાં આવે છે.
.