તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે 12 લોકોના મોત

તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ જેમની તબિયત બગડતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

તમિલનાડુ
New Update

તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ જેમની તબિયત બગડતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, તાત્કાલિક પગલાં લેતા, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ, આ મામલો કલ્લાકુરિચી જિલ્લાનો છે, જ્યાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ પોલીસે કાર્યવાહી કરી દારૂ વેચનારની ધરપકડ કરી 200 લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો. આ સિવાય સીએમ સ્ટાલિને CB-CID તપાસના આદેશ આપ્યા છે. તેમજ જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી છે.

 

#તમિલનાડુ #ઝેરી દારૂ #કલ્લાકુરિચી
Here are a few more articles:
Read the Next Article