ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીયોને સહી સલામત વતન પરત લવાયા.....

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં

New Update
ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીયોને સહી સલામત વતન પરત લવાયા.....

ભારતે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પોતાના વતન સુરક્ષિત પહોચડવામાં માટે ઓપરેશન અજય બનાવ્યું હતું. આજે ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં. અમારી સરકાર તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ. તેમણે વિદેશ મંત્રાલય અને એર ઈન્ડિયા ફ્લાઇટના ક્રૂનો પણ આ શક્ય બનાવવા અને લોકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ આભાર માન્યો હતો. ઈઝરાયલથી દિલ્હી પરત ફરેલી એક નાગરિકે કહ્યું કે હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા 10 મહિનાથી ત્યાં હતી, ત્યાંથી અમને કાઢી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી અહીં સ્થિતિ તંગ છે. અમે તે પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે અમે ભારતમાં છીએ. મારો પરિવાર ભારતમાં રહે છે, હું ત્યાં (તેલ અવીવ) રહેતી હતી.

Read the Next Article

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ; જાણો કેટલી મોંઘી બની રેલવેની મુસાફરી

આ નિર્ણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. 

New Update
rail travel

મુસાફરોને આંચકો આપતાં ભારતીય રેલવેએ 1 જુલાઈ, 2025થી એસી અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય વધતાં ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. 

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે ભાડામાં કોઈ વધારો થશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય, તો પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો ભાવ વધારાનો ચૂકવવાનો રહેશે.

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેન(નોન-એસી)માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસો વધુ ચૂકવવા પડશે. તેમજ એસી ક્લાસ ટિકિટમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. તેમજ પાસના રેટમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

અગાઉ રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં અગાઉ નિયમ હતો કે જો તમે ટ્રેન ટિકિટ અગાઉ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જતી હતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જ જાહેર કરવામાં આવશે.

ટિકિટ બુકિંગની આ નવી સિસ્ટમની ટ્રાયલ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી જ મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી.