ઉત્તર પ્રદેશના ચકચારી ચંદન ગુપ્તા મર્ડર કેસમાં 28 દોષીતોને આજીવન કેદની સજા !

ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

New Update
candra gupta

ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. લખનઉ NIA કોર્ટના જસ્ટિસ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો.કોર્ટે ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય સામે દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસનો આરોપી સલીમ ગુરુવારે કોર્ટમાં હાજર થયો ન હતો. તે શુક્રવારે કોર્ટમાં પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું.

26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી. તેના મૃત્યુ બાદ કાસગંજમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પ્રશાસને ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું. લગભગ એક અઠવાડિયા સુધી હોબાળો થયો.આ કેસમાં પોલીસે ડિસેમ્બર 2018માં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 2019માં ટ્રાયલ શરૂ થઈ હતી.2020માં બે મુખ્ય આરોપી વસીમ અને નસીમ જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા. સીએમને પરિવારની અપીલ બાદ, નવેમ્બર 2021માં આ કેસ લખનઉની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારથી સુનાવણી ચાલી રહી હતી.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories