અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર, SSFના જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે

New Update
અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર, SSFના જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે

અભિષેક પહેલા અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિની સુરક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંદિર અને રામલલાની સુરક્ષા વિશેષ સુરક્ષા દળ (SSF)ના હાથમાં રહેશે. યોગી સરકારે હાલમાં જ એક વિશેષ દળની રચના કરી છે. તેના સૈનિકો અયોધ્યા પહોંચી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા SSFની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે. હાલમાં તેના 80 સૈનિકો આવી ગયા છે.

અયોધ્યામાં રામજન્મભૂમિ સુરક્ષાની કમાન SSFના હાથમાં રહેશે, જે યુપી સરકાર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવી છે. યુપી પોલીસ અને પીએસીના શ્રેષ્ઠ કર્મચારીઓને પસંદ કરીને આ ફોર્સની રચના કરવામાં આવી છે જેમને વિશેષ સુરક્ષા માટે તાલીમ આપવામાં આવી છે. સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે SSF બટાલિયન અયોધ્યા પહોંચી ગઈ છે. જોકે હાલ એમની એક અઠવાડિયાની સ્પેશ્યલ ટ્રેનિંગ થશે.

Read the Next Article

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી દુર્ઘટના, ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત, 7થી વધુ ઘાયલ

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે. સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે

New Update
baga

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ફરી એક વખત ભક્તો સાથે દુર્ઘટના ઘટી છે. ઢાબાની છત તૂટી પડતા એક ભક્તાનું મોત અને અનેક ઘાયલ થયા છે.

સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.