ભારત માટે ગૌરવની ક્ષણ: યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક યાદીમાં દિવાળીનો સમાવેશ

ભારત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે દેશના સૌથી મોટા સંસ્કૃતિક પર્વ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH)ની યાદીમાં સ્થાન મળ્યું છે.

New Update
diwali

ભારત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે દેશના સૌથી મોટા સંસ્કૃતિક પર્વ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત (Intangible Cultural Heritage – ICH)ની યાદીમાં સ્થાન મળ્યું છે.

દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની વિશેષ બેઠક દરમિયાન આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.

ખાસ વાત એ છે કે ભારતે પ્રથમ વખત આવી વૈશ્વિક બેઠકનું આયોજન કર્યું છે, અને એ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને વૈશ્વિક માન્યતા મળવી ભારત માટે દ્વિગણ ગૌરવ બની રહી છે. જાહેરાત થતા જ સમગ્ર સભામાં 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઊઠ્યા, જે આ સિદ્ધિની ભવ્યતા દર્શાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવતા સોશ્યલ પ્લેટફોર્મ 'X' પર પોતાનો સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે દેશ-વિદેશમાં અપાર ઉત્સાહ વ્યાપી રહ્યો છે અને દિવાળી આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને પારંપરિક વારસાની આત્મા છે. તેમણે વધુમાં કહ્યું કે દિવાળી જ્ઞાન, ધાર્મિક આસ્થા અને પ્રકાશનો પર્વ છે, અને યુનેસ્કોની અમૂર્ત વિરાસત યાદીમાં સ્થાન મળ્યા બાદ તેની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે પ્રભુ શ્રીરામના આદર્શો માનવજાતને પ્રેરણા આપતા રહેશે અને ભારતની સાંસ્કૃતિક મહિમા વિશ્વ મંચ પર વધુ તેજસ્વી બનશે.

દિવાળીને મળેલા આ વૈશ્વિક માન સાથે હવે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક યાદીમાં ભારતની કુલ 16 પરંપરાઓ સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં અગાઉ ગુજરાતનો ગરબા, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા, યોગ, કુંભ મેળો, રામલીલા, વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય અનેક સાંસ્કૃતિક પરંપરાઓનો સમાવેશ છે. દિવાળીના ઉમેરાથી ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વૈશ્વિક સ્તરે ફરી એક વખત અનોખી માન્યતા મળી છે, જે ભારતીય પરંપરાઓની સમૃદ્ધિ અને લોકપ્રિયતાનો જીવંત પુરાવો છે.

Latest Stories