દિલ્હીમાં હાઇકોર્ટના ન્યાયાધીશના ઘરે આગ લાગતા જ મળ્યો રોકડનો ખજાનો,જજની કરાય બદલી

જેને કંટ્રોલ કરવા જતા ટીમને ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતા રેકોર્ડ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી.

New Update
ONLINE COURT

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી.

જેને કંટ્રોલ કરવા જતા ટીમને ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતા રેકોર્ડ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી. આ અંગેCJI નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટે કોલેજિયમને જાણ કરી હતી.

ત્યારબાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રારંભિક કાર્યવાહી છે. અને સુપ્રીમ કોર્ટ આ મામલે તેમના સ્તરે પણ તપાસ કરી શકે છે. જો તપાસમાં ન્યાયાધીશ યશવંત વર્મા ખુદને નિર્દોષ સાબિત નહીં કરી શકે તો તેમનું રાજીનામું પણ માંગવામાં આવી શકે છે.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે.