આપ સુપ્રીમો કેજરીવાલે પૂજારી ગ્રંથી સન્મામ યોજનાની કરી જાહેરાત

આમ આદમી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી હતી કે જો તેમની પાર્ટી દિલ્હીમાં ફરીથી સરકાર બનાવે, તો તે પૂજારી ગ્રંથી સન્માન યોજના શરૂ કરશે.

New Update
arvind kejariwal
Advertisment

આમ આદમી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી હતી કે જો તેમની પાર્ટી દિલ્હીમાં ફરીથી સરકાર બનાવે, તો તે પૂજારી ગ્રંથી સન્માન યોજના શરૂ કરશે. આ અંતર્ગત મંદિરના પૂજારી અને ગુરુદ્વારાના પૂજારીઓને દર મહિને 18 હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.કેજરીવાલે કહ્યું કે, આ યોજના માટે રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે.

Advertisment

કેજરીવાલ મંગળવારે કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરની મુલાકાત લેશે. જ્યાં તેઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયાની તપાસ કરશે.અહીં દિલ્હી વક્ફ બોર્ડના ઈમામોએ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યું. ઈમામોનો દાવો છે કે તેમને 17 મહિનાથી તેમનો પગાર મળ્યો નથી. આ માટે તેમણે સીએમ, એલજી સહિત તમામને ફરિયાદ કરી છે.યોજનાની જાહેરાત બાદ કેજરીવાલે કહ્યું કે, પૂજારી અને ગ્રંથીઓ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેમની સમસ્યાઓને ઘણીવાર અવગણવામાં આવે છે. ભાજપના લોકોએ મહિલા સન્માન અને સંજીવની યોજનાની નોંધણી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. હવે આ લોકો પૂજારી-ગ્રંથી સન્માન યોજનાની નોંધણીમાં દખલ ના કરે, નહીં તો પાપ લાગશે.

Latest Stories