યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો,કોરોનિલ વિશે ખોટો પ્રચાર કર્યો..!

યોગગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અને દિલ્હી હાઈકોર્ટે આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છે 

New Update
baba

યોગગુરુબાબા રામદેવનેફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.અનેદિલ્હી હાઈકોર્ટેઆચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી એ દાવો પાછો ખેંચવા કહ્યું છેજેમાંકોરોનિલને કોરોનાના ઈલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. આ સાથેએલોપેથીની અસરને લઈને જે વાતો કહેવામાં આવી છે તે પણ પાછી લેવી પડશે.કોર્ટે તેમને3દિવસમાંઆદેશનો પાલન કરવા માટે જણાવ્યુ છે.

કોર્ટેમાંજસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની ખંડપીઠેચુકાદો આપતી વખતેકહ્યું, ‘હું અરજીમંજૂર કરું છું. મેં કેટલીક સામગ્રી,પોસ્ટ્સ દૂર કરવા કહ્યું છે. મેંબચાવ પક્ષને ત્રણ દિવસમાં તેને દૂર કરવા કહ્યું છે,અન્યથા સોશિયલ મીડિયાપ્લેટફોર્મને આમ કરવા માટે નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએપક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ21મેના રોજ આ મુદ્દે નિર્ણય સુરક્ષિતરાખ્યો હતો.

દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA)દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આઆદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રામદેવની કંપનીએ કોરોનિલકીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઈલાજ ગણાવ્યો હતો,જ્યારે તેને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાંએમ પણ કહેવામાં આવ્યું છે કે રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોનાવેચાણને વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે.