/connect-gujarat/media/media_files/2024/10/25/2toXr68W96aPWcX5nBAm.jpg)
દિવાળી પહેલા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. જે ઉદ્યોગ સાહસિકો પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પહેલા કરતા બમણી લોન મળશે. આ યોજના હેઠળ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તેમાં 20 લાખ સુધીની લોન પર ગેરંટી કવરેજ ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ હેઠળ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024ના રોજ બજેટ રજૂ કરતી વખતે તેવી જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી 10 લાખની લોન વધારીને 20 લાખ કરવામાં આવશે. હવે તે જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ લિમિટ વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.