પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ, કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની કરી હતી વાત

કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા.

New Update
પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ, કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની કરી હતી વાત

પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરનાર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરી લેવાઈ છે. કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની મધ્ય પ્રદેશના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગે ધરપકડ કરાઈ. રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે 'પીએમ મોદીની હત્યા' ની વાત કરી રહ્યા હતા. જો કે બાદમાં રાજા પટોરિયાએ પલટી મારતાં કહ્યું હતું કે તેનો અર્થ હતો કે આગામી ચૂંટણીમાં મોદી ને હરાવો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે આ ફ્લોમાં થઈ ગયું હતું.

કોંગ્રેસ ના નેતાનો કથિત રીતે જ વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધન કરી રહ્યા હતા. તેઓ કહેતા નજરે ચડ્યા હતા કે મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વહેંચી દેશે, દલિતોના, આદિવાસીઓના અને અલ્પસંખ્યક ના જીવન જોખમમાં છે, જો બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો. જો કે ત્યારબાદ તેઓ કહે છે કે હત્યા એટલે હાર. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોતાની સફાઈમાં રાજા પટોરિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે.

જેમાં તેમણે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કાર્ડ વિતરણ દરમિયાન છે. આ વીડિયોમાં મારા દ્વારા મોદીની હત્યા જે વાત છે તે ખોટી રીતે પ્રદર્શિત કરાઈ છે. હું ગાંધી માનનારા માણસ છું, હું આ પ્રકારની વાત કરી શકું નહીં. તેમણે કહ્યું કે મારો અર્થ રાજનીતિક પરિપ્રેક્ષ્યમાં હતો. જ્યાં બંધારણ બચાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે. અલ્પસંખ્યકો ની, દલિતોની આદિવાસીઓની રક્ષા કરવા માટે અને બેરોજગારી હટાવવા માટે મોદીને હરાવવા જરૂરી છે.

મારો આશય મોદીની હત્યા ને લઈને બિલકુલ ખોટી રીતે રજૂ કરાયો છે. પૂર્વ મંત્રીના આ વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આ મામલે પોલીસ FIR કરી રહી છે અને કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા નો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી ગઈ છે. પીએમ મોદી જનતા હ્રદયમાં વસે છે. કોંગ્રેસ પીએમ મોદી જોડે મેદાનમાં મુકાબલો નથી કરી શકતા તો કોંગ્રેસના એક નેતા પીએમ મોદીની હત્યાના વાત કરી રહ્યા છે.

Read the Next Article

કેદારનાથ રૂટ પર ભૂસ્ખલનમાં 40 શ્રદ્ધાળુઓ ફસાયા, SDRF એ તેમને બચાવ્યા

ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા

New Update
Kedarnath landslide

ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ કારણે વિવિધ વિસ્તારોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે. દરમિયાન,સોનપ્રયાગમાં સતત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં કેદારનાથથી પરત ફરી રહેલા40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)એ સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા40શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે સોમવારે રાત્રે10વાગ્યે ભૂસ્ખલન થયું હતું,જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને અચાનક કાટમાળ પડવાથી ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયા હતા. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ, SDRFની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને રાત્રે યાત્રાળુઓને બચાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આ કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચમોલી પોલીસે જણાવ્યું હતું કે, 'બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બદ્રીશ હોટલ પાસે ભૂસ્ખલન જોવા મળ્યું છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખૂબ જ પ્રભાવિત થયો છે. સતત વરસાદને કારણે સિલાઈ બંધ અને ઓજરી વચ્ચેના હાઇવેના કેટલાક ભાગો ધોવાઈ ગયા છે.'ઉત્તરકાશી પોલીસે જણાવ્યું હતું કે, 'યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે જગ્યાએ બંધ છે. માર્ગ પુનઃસ્થાપિત કરવામાં સમય લાગી શકે છે. પરિસ્થિતિને સંભાળવા માટેSDRF, NDRF,પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર છે,જેઓ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોને કામચલાઉ માર્ગો પરથી પસાર થવામાં મદદ કરી રહ્યા છે.'

આ ઉપરાંત,ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અગ્રખાલ,ચંબા,જખીંદર અને દુગમંદર જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે,જ્યારે ચંબા બ્લોકના કેટલાક ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો હતો. તમને જણાવી દઈએ કે બારકોટ નજીક વાદળ ફાટવાથી રવિવારે ચાર ધામ યાત્રા24કલાક માટે મુલતવી રાખવામાં આવી હતી. જોકે,સોમવારથી આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં બે કામદારોના મોત થયા હતા અને7અન્ય ગુમ થયા હતા.