Connect Gujarat
દેશ

અરવિંદ કેજરીવાલ હવે તિહાર જેલમાં, કોર્ટે 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, દારૂ નીતિના મામલાને લગતા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા, આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અરવિંદ કેજરીવાલ હવે તિહાર જેલમાં, કોર્ટે 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
X

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, દારૂ નીતિના મામલાને લગતા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા, આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટમાં હાજરી આપવા જતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન જે પણ કરી રહ્યા છે તે દેશ માટે સારું નથી. કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી આજે એટલે કે 1 એપ્રિલના રોજ સમાપ્ત થઈ. આ પછી કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ આજે ​​અરવિંદ કેજરીવાલના રિમાન્ડ માગ્યા ન હતા અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા જણાવ્યું હતું. ઈડીએ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. જેના પર કોર્ટે મંજૂરી આપી દીધી છે. ત્યારે કેજરીવાલને 15 દિવસ જેલમાં વિતાવવા પડશે. મળતી માહિતી મુજબ કેજરિવાલને આ દરમિયાન તિહાડ જેલ મોકલવામાં આવશે.

Next Story