/connect-gujarat/media/post_banners/df4ef56ef9ae8b9446dfe5931eb168204048233876a09a4a3ef8bfa1cb6dd4f5.webp)
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં સરકારે 22 જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. એટલે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે અને દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આસામના એક મંત્રીએ આ જાણકારી આપી છે.
પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ રવિવારે (7 જાન્યુઆરી) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ મંદિર ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમાં ડ્રાય ડે રહેશે. " તમને જણાવી દઈએ કે અયોધ્યામાં આયોજિત આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, એનડીએ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ અને 6000 થી વધુ લોકો આવવાની આશા છે.
જ્યારે સરકાર કોઈપણ ખાસ તહેવાર કે વિશેષ પ્રસંગે સમગ્ર રાજ્યમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકે છે ત્યારે તે દિવસને ડ્રાય ડે કહેવામાં આવે છે. ડ્રાય ડે પર દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરનાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. 1962માં પંજાબના આબકારી કાયદામાં સૌપ્રથમ ડ્રાય ડેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બાદમાં, કેન્દ્ર સરકારે 1950 માં તેને સમગ્ર ભારતમાં લાગુ કર્યું.