ઉત્તરપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર સર્જાયો, 7 લોકોના મોત, 40થી ઈજાગ્રસ્ત

New Update
ઉત્તરપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર સર્જાયો, 7 લોકોના મોત, 40થી ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. અહીં યુપીના અયોધ્યાથી આંબેડકર નગર તરફ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતમાં 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત લખનૌ-ગોરખપુર હાઈવે પર થયો હતો.

પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી મારી બસની ઉપર પડી હતી. અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા સાત લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ દુર્ઘટના બાદ એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.