કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર મૂક્યો પ્રતિબંધ

New Update
કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ પર મૂક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે બુધવારે (27 ડિસેમ્બર) મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર-મસરત આલમ જૂથ (MLJK-MA) પર પ્રતિબંધ મૂક્યો. સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી છે. સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.

તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું "આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે, આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે."

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, "PM નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને કાયદાના પ્રકોપનો સામનો કરવો પડશે."

Latest Stories