New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/kejriwal-1493439669-1521304795.jpg)
દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની રાઉઝ એવન્યુ કોર્ટે ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે.
તેમને તિહાર જેલ માંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા 12 જુલાઈએ કોર્ટે સીએમ કેજરીવાલ ની સીબીઆઈ જ્યુડિશિયલ કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી હતી.
અગાઉ 17 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની સીબીઆઈ ધરપકડ અને વચગાળાની જામીન માટેની અરજીને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ કોર્ટે કહ્યું હતું કે તે જામીન અરજી પર 29 જુલાઈએ સુનાવણી કરશે.