મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટોપ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે

New Update
Mumbai-Ahmedabad bullet train route

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર વધુ એક પુલની કામગીરી પૂર્ણ થઇ છે. સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે48ને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે.

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ટોપ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ દેશના પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાથમાં લીધું છે અને આ પ્રોજેક્ટ કામગીરીની લેટેસ્ટ વાત કરીએ તો ગુજરાતમાં નેશનલ હાઇવે 48 પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

ગુજરાતના વલસાડ જિલ્લાના પંચલાઇ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઇવે48 (દિલ્હી-ચેન્નઈ)ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રિટ પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું હતું.

સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે48ને ક્રોસ કરતા બે પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલ પહેલેથી જ પૂર્ણ થઈ ગયા છે. આ પુલોની લંબાઈ અનુક્રમે 260 મીટર અને 210 મીટર છે. વાઘલધરા પાસે આ નવનિર્મિત પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે.

નેશનલ હાઇવે48એ ભારતના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે. આનાથી વાહનો અને કામદારો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. બાંધકામ દરમિયાન હાઇવેની બંને બાજુએ વધારાની લેન બનાવવામાં આવી હતી.

અગાઉ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવસારી જિલ્લામાંNH-48 ને ક્રોસ કરતા બે PSC બ્રિજ 18 ઓગસ્ટ અને 1 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ ચૂક્યા છે. આમાંના એક પુલની લંબાઈ 260 મીટર અને બીજાની 210 મીટર છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના તત્કાલિન જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેએ સપ્ટેમ્બર2017માં અમદાવાદના સાબરમતી ખાતે હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચે લગભગ બે કલાકમાં મુસાફરી પૂર્ણ કરશે.તે મહારાષ્ટ્રમાં 155.76 કિમીદાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં 4.3 કિમી અને ગુજરાતમાં 348.04 કિમીનું અંતર કાપશેજેમાં 12 સ્ટેશનો આવરી લેવામાં આવશે.

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન12 સ્ટેશન પર સ્ટોપ કરશે. જેમાં ગુજરાતમાં આઠ સ્ટેશન છે. સાબરમતીઅમદાવાદઆણંદવડોદરાભરૂચસુરતબીલીમોરા અને વાપી. જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે,બોઈસરવિરારથાણે અને મુંબઈ.

Read the Next Article

તમિલનાડુમાં ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ

તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે.આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે.

New Update
WhatsApp Image 2025-06-30 at 3.56.22 PM

તમિલનાડુના તિરૂવલ્લૂર પાસે ડીઝલ લઈને જઈ રહેલી માલગાડીમાં ભીષણ આગ લાગી છે. જોકે, અકસ્માત બાદ ટ્રેનને રોકી દેવામાં આવી છે.

આગ એટલી ભયાનક છે કે, આકાશ આખું કાળા ડિબાંગ ધુમાડાથી ભરાઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, હાલ આગ લાગ્યા બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

મળતી માહિતી મુજબ, તિરૂવલ્લુર પાસે એક માલગાડીના ચાર ડબ્બામાં રવિવારે (13 જુલાઈ) વહેલી સવારે આગ લાગી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, આ માલગાડીમાં ડીઝલ ભરેલું હતું અને આ માલગાડી મનાલીથી તુરૂપતિ જઈ રહી હતી. માલગાડીમાં સવાર ચાર કોચ આગની લપેટમાં આવ્યા અને બાકીના કોચને તેનાથી અલગ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાના કારણે ચેન્નઈથી નીકળતી અને ચેન્નઈ જતી ટ્રેનોને અસર થશે. હાલ રેલ લાઇનને ક્લિયર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 

અકસ્માત બાદ દક્ષિણ રેલવેએ એલર્ટ જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દક્ષિણ રેલવેએ કહ્યું કે, 'ટ્રેન સેવા એલર્ટ! તિરૂવલ્લૂર પાસે આગ લાગવાના કારણે સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રેન સંચાલનમાં પણ બદલાવ કરાયો છે. મુસાફરોને સલાહ છે કે, મુસાફરી પહેલા લેટેસ્ટ અપડેટ ચેક કરી લે.

  • ટ્રેન નંબર 20607 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી સવારે 5:50 વાગ્યે રવાના થનારી ફલાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12007 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - મૈસુર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12675 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર કોવઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:10 વાગ્યે રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12243 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કોયંબટૂર શતાબ્દી એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 7:15 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે.
  • ટ્રેન નંબર 16057 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - તિરૂપતિ સપ્તગિરિ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 6:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 22625 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ ડબલ ડેકર એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:25 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણપણે રદ્દ છે.
  • ટ્રેન નંબર 12639 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - કેએસઆર બેંગલુરૂ વૃંદાવન સુપરફાસ્ટ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી 7:40 વાગ્યે રવાના થનારી ટ્રેન સંપૂર્ણ રદ્દ છે. 
  • ટ્રેન નંબર 16003 ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ - નાગરસોલ એક્સપ્રેસ, 13 જુલાઈએ ડૉ. એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલથી સવારે 9:15 વાગ્એ રવાના થનારી ફ્લાઇટ સંપૂર્ણ રદ્દ છે. 

Tamilnadu | Train Accident | Diesel | Fire

Latest Stories