દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બીધુરીએ આપ્યું રાજીનામું, AAP સાથેના ગઠબંધનથી નારાજગી

New Update
દિલ્હી કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ બીધુરીએ આપ્યું રાજીનામું, AAP સાથેના ગઠબંધનથી નારાજગી

દિલ્હીમાં કોંગ્રેસ નેતા ઓમપ્રકાશ બિધુરીએ ગુરુવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ છોડવાના ઘણા કારણો છે. તેમાં સૌથી મોટું કારણ દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન છે. કોંગ્રેસના હજારો કાર્યકરો આ ગઠબંધનથી ખુશ નથી.

બિધુરીએ કહ્યું કે, "આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને તેના નેતાઓને ભ્રષ્ટ અને ચોર કહીને સત્તામાં આવી છે. AAP સાથે ગઠબંધન કોંગ્રેસના કાર્યકર્તાઓની ભાવનાઓ વિરુદ્ધ છે. બિધુરીએ કહ્યું કે હાલમાં તેમની કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાની કોઈ યોજના નથી. .AAP સાથે ગઠબંધનથી નારાજ બિધુરી છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ છોડનારા ત્રીજા નેતા છે. તેમની પહેલા (બુધવારે) 1 મેના રોજ પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પણ 28 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.લવલીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. 4 પાનાના પત્રમાં તેમણે લખ્યું- દિલ્હી કોંગ્રેસ તે પાર્ટી સાથે ગઠબંધનની વિરુદ્ધ છે, કે જે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ખોટા, બનાવટી અને દૂષિત ભ્રષ્ટાચારના આરોપો મૂકવાના આધારે બની છે.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.