દિલ્હી : વધતા વાયુ પ્રદૂષણના કારણે હૃદય પર પણ વધી રહ્યો છે બોજ, જાણો શું કહે છે નિષ્ણાતો..!
હવામાં પીએમ 2.5ના સ્તરમાં વધારો થવાને કારણે છેલ્લા ત્રણ દાયકામાં વૈશ્વિક સ્તરે હૃદય રોગનું જોખમ 31 ટકા વધી ગયું છે.
BY Connect Gujarat Desk2 Nov 2023 10:13 AM GMT
X
Connect Gujarat Desk2 Nov 2023 10:13 AM GMT
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના કારણે લોકોમાં હૃદય પર વધી રહ્યો છે બોજ, નિષ્ણાતોના મતે લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 2.1 ટકા વધી જાય છે. ફરી એકવાર દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સ્તર માપદંડો કરતાં અનેક ગણું વધી ગયું છે. નિષ્ણાતોના મતે, આ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી તમારા હૃદયની તંદુરસ્તી બગડી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, હવામાં પીએમ 2.5ના સ્તરમાં વધારો થવાને કારણે છેલ્લા ત્રણ દાયકામાં વૈશ્વિક સ્તરે હૃદય રોગનું જોખમ 31 ટકા વધી ગયું છે. તે જ સમયે, 35 વિવિધ અભ્યાસોની સમીક્ષા કર્યા પછી, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે જો હવામાં PM2.5 નું સ્તર 10 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર વધે છે, તો હાર્ટ એટેકનું જોખમ 2.1 ટકા વધી જાય છે.
Next Story