ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

New Update
ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 16 ઓક્ટોબરથી ફરીવાર ગુજરાતની મુલાકાત લેશે. આમ કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા સજ્જ થઈ ગયું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ત્યારે 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.મહત્વનું છે કે, ચૂંટણીની તારીખ ધનતેરસ અથવા લાભપાંચમના દિવસે જાહેર થઇ શકે છે, ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 અથવા 30 નવેમ્બરે યોજાઈ શકે છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. બે તબક્કામાં મતદાન થયા બાદ તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી થઈ શકે છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

Read the Next Article

ચોમાસાએ સમગ્ર ભારતમાં આપી દસ્તક, આગામી 7 દિવસ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર

New Update
rain

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે 29 જૂને દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવાર (29 જૂન, 2025) સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે.  જ્યારે સામાન્ય તારીખ 8 જુલાઈ છે. આ સામાન્ય કરતાં 9 દિવસ વહેલું થયું છે. આ સાથે, આગામી 7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ અપેક્ષા છે અને હવામાન વિભાગે ઝારખંડ (29 અને 30 જૂન) અને ઓડિશા (29 જૂન) માં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસાએ સમગ્ર ભારતમાં દસ્તક આપી દીધી છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સમયે આખું ભારત વાદળોથી ભરેલું છે. ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ક્ષેત્ર. તેનું કારણ એ છે કે એક નીચા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ થયું છે, ત્યાં ગાઢ વાદળો છે. નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે અને હવે આખું ભારત છવાઈ ગયું છે. ચોમાસું 29 જૂને રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને સમગ્ર દિલ્હીમાં પહોંચી ગયું છે, જેના કારણે તે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું છે. 

Latest Stories