ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

New Update
ચૂંટણીપંચ સજ્જ: 16મી ઓક્ટોબરે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આવશે ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં ત્રિપાંખિયો જંગ વચ્ચે રાજ્યમાં દિવાળી પહેલા એટલે કે 20 ઓક્ટોબર બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ 16 ઓક્ટોબરથી ફરીવાર ગુજરાતની મુલાકાત લેશે. આમ કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા સજ્જ થઈ ગયું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ત્યારે 16થી 21 ઓક્ટોબર સુધી ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. ગુજરાતના 4 ઝોનમાં જિલ્લા સ્તરે વહીવટી બેઠકો યોજાશે.મહત્વનું છે કે, ચૂંટણીની તારીખ ધનતેરસ અથવા લાભપાંચમના દિવસે જાહેર થઇ શકે છે, ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 અથવા 30 નવેમ્બરે યોજાઈ શકે છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 4 અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. બે તબક્કામાં મતદાન થયા બાદ તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી થઈ શકે છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

Read the Next Article

મહારાષ્ટ્ર: નાસિકમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો ઝટકો, ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ને નાસિકમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાયા

New Update
Babanrao Gholap

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહી છે, જ્યાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ને નાસિકમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાયા છે. મંગળવારે નાસિકમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં આયોજિત એક ખાસ સમારંભમાં ઘોલપ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે, મંત્રી રવિન્દ્ર ચવ્હાણ અને કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન હાજર રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના બીજા મોટા નેતા બબનરાવ ઘોલપ સાથે, સુધાકર બડગુજર પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત, નાસિકના ભૂતપૂર્વ મેયર અશોક મુર્તડક અને નયના ઘોલપ પણ ભાજપમાં જોડાયા. થોડા દિવસો પહેલા સુધાકર બડગુજરને ઠાકરે જૂથમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે હવે ભાજપનો ઝંડો ધારણ કર્યો છે.ભાજપમાં જોડાતા પહેલા સુધાકર બડગુજરએ જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક ભાજપ નેતાઓએ બડગુજરના પક્ષમાં જોડાવાનો વિરોધ કર્યો હતો, પરંતુ બડગુજરે આ વિરોધને અવગણ્યો અને ભાજપનો ઝંડો ઉપાડ્યો.

સુધાકર બડગુજરને સંજય રાઉતના વિશ્વાસુ માનવામાં આવતા હતા. તેમની રાજકીય કારકિર્દી 2007 માં શરૂ થઈ હતી. તેઓ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તે સમયે બડગુજરે શિવસેનાને ટેકો આપ્યો હતો. ત્યારબાદ 2008 માં તેઓ શિવસેનામાં જોડાયા હતા. 2009 થી 2012 સુધી તેઓ નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા હતા. ઉપરાંત, 2012 થી 2015 સુધી બડગુજર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા પણ હતા.બડગુજર 2014 અને 2019 વિધાનસભા ચૂંટણીમાં નાસિક પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી હારી ગયા હતા. ત્યારબાદ તેમને ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બડગુજર અનેક ગુનાહિત કેસોમાં પણ આરોપી છે. હવે તેઓ ભાજપમાં જોડાયા છે.

આગામી સ્થાનિક અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ ઘટનાક્રમને મોટી સફળતા માનવામાં આવી રહી છે, જ્યારે તે ઉદ્ધવ ઠાકરે જૂથ માટે રાજકીય રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નાસિક અને ઉત્તર મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) ની પકડ નબળી પડવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી માત્ર નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપ મજબૂત થઈ શકે છે. તે જ સમયે, શિવસેના (યુબીટી) માટે આ આત્મનિરીક્ષણનો સમય છે.